આજના સમયમાં શરીરને ફીટ રાખવુ એ એક મોટો પડકાર બની ગયુ છે. જેનું એક મુખ્ય કારણ એવુ પણ છે કે ભાગદોડવાળા જીવનમાં ક્યારેક-ક્યારેક લોકો નાની-મોટી આરોગ્ય સંબંધી સમસ્યાઓને નજરઅંદાજ કરી નાખે છે. જેનાથી આગળ જઇને એક મોટી સમસ્યાનું કારણ બને છે. આ જ રીતે બગાસુ ખાવુ પણ સામાન્ય વાત છે. કોઈ પણ વ્યક્તિને ગમે તે સમયે બગાસા આવી શકે છે.
વારંવાર બગાસા આવવા તે પણ એક સમસ્યા !
જો આખા દિવસમાં 8-10 વખત બગાસા આવે તો ચેતી જજો
વધુ પડતા બગાસા આવવાથી ઘણી બિમારીઓનું રહે છે જોખમ
ઓ બાપ રે ! બગાસા ખાવા પણ આરોગ્ય માટે ખતરનાક
પરંતુ શું તમે જાણો છો કે વધારે બગાસા ખાવા આપણા આરોગ્ય માટે ખતરનાક પણ હોઇ શકે છે. એક સામાન્ય વ્યક્તિ આખા દિવસમાં એક થી બે વખત બગાસા ખાય છે. આ સાથે જ્યારે ઉંઘ પૂર્ણ ના થાય અથવા પછી વધુ ઉંઘ આવી રહી હોય ત્યારે બગાસા વારંવાર આવે છે. આ સિવાય જ્યારે હવામાન હળવુ રહે છે ત્યારે પણ વધુ બગાસા ખાય છે. પરંતુ કેટલાંક લોકો એવા પણ છે, જેને કોઈ કારણ વગર વારંવાર બગાસા આવે છે અને આખા દિવસમાં 8-10 વખત બગાસા ખાય છે. જો તમને પણ આવુ થાય છે તો આ સમસ્યાને નજરઅંદાજ ના કરશો. આમ કરવાથી ઘણી બિમારીઓનુ જોખમ રહે છે. આવો જાણીએ કે વારંવાર બગાસા ખાવા કઈ-કઈ બિમારીઓ હોઇ શકે છે?
હાર્ટની બિમારી
વારંવાર બગાસા ખાવા એ એક હૃદયની બિમારીનો સંકેત હોઇ શકે છે. ડૉકટરો મુજબ, હાર્ટ અને ફેફસાની બિમારીઓમાં માણસને ઘણી વખત બગાસા આવે છે. તેથી આ સમસ્યાને હળવાશમાં ના લેશો અને વારંવાર બગાસા આવી રહ્યાં છે તો તમારા ડૉકટરને ફરજીયાત બતાવો.
હાઈ બ્લડ પ્રેશર
આમ તો હાઈ બ્લડ પ્રેશરના ઘણા કારણ હોય છે. જેમાંથી એક વધુ તણાવ લેવો હોઇ શકે છે. વધુ તણાવ લેવાથી અવાર-નવાર લોકોને બ્લડ પ્રેશર વધી જાય છે. જ્યારે તમે વધુ તણાવ લેતા હોવ ત્યારે ઓક્સિજન મગજ સુધી બરોબર પહોંચતો નથી. જેના કારણે તમને વારંવાર બગાસા આવે છે. કારણકે તેના દ્વારા શરીરમાં ઓક્સિજન પહોંચે છે.
પિલેપ્સી અથવા વાઈ
જે લોકોને વાઈની બિમારી હોય છે એવા લોકોને વધુ બગાસા આવે છે. આ સિવાય પીડિત વ્યક્તિને વધુ પડતો થાક પણ મહેસૂસ થવા લાગે છે, જેનાથી દર્દી બગાસા ખાવા લાગે છે.
થાઈરોડ
થાઈરોડની સમસ્યા થવાથી વધુ બગાસા આવવા લાગે છે. આ એક ગંભીર બિમારી છે. આ શરીરને અંદરથી ગાળી નાખે છે. તેથી વારંવાર બગાસા આવી રહ્યાં છે તો તેને નજરઅંદાજ ના કરો.