પતિ-પત્ની બંનેનુ કિસ્મત એક-બીજાથી જોડાયેલું હોય છે. જેથી એક-બીજાના સારા-ખોટા કામથી બંનેના જીવન પર અસર પડે છે એક સારૂ કામ કરે તો બીજાનું કિસ્મત પણ બદલી શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પત્ની રસોઇ બનાવતી વખતે ભૂલો કરે તો પતિનુ ભાગ્ય તેનો સાથ નથી આપતુ હોતુ અને ઘરમાં હંમેશા કંકાસ રહે છે એટલે કે પતિ-પત્ની વચ્ચે હંમેશા ઝગડાઓ થાય છે અને ઘરમાં હંમેશા પૈસાની તંગી સર્જાય છે.
જેથી આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવશું જેનુ તમે ધ્યાન રાખશો તો ઘરમાં હંમેશા ખિલ-ખિલાટ રહેશે. ઘરમાં હંમેશા આનંદ છવાયેલા રહેશે.
આ વાતોનુ રાખો ધ્યાન:
- જ્યોતિષ શાસ્ત્ર મુજબ નાહ્યા વગર એટલે કે સ્નાન કર્યા વગર ક્યારેય પણ રસોઇ બનાવવી ન જોઇયે. સ્નાન કર્યા વગર રસોઇ બનાવવાથી ઘરમાં બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે આ સાથે ઘરમાં દોષ વધે છે અને પતિ-પત્નીને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.
- આ ઉપરાંત રસોડામાં દક્ષિણ-પશ્ચિમ દિશાના ખૂણા તરફ મોઢું કરીને જમવાનુ ન બનાવો જો આવી રીતે જમવાનુ બનાવશો તો આ ઘરમાં ક્યારેય સુખ-શાંતિ નહીં રહે અને ઘરમાં લડાઇ-ઝઘડા થશે.
- પશ્ચિમ દિશા તરફ મોઢું કરીને જમવાનુ બનાવશો તો ઘરમાં ખુબ જ સુખ-શાંતિ રહેશે અને ઘરમાં લક્ષ્મીનો વધારો થશે.
- જો તમે નવું ઘર બનાવી રહ્યા છો તો રસોડાની બારી પૂર્વ દિશામાં રાખો જેથી ઘરમાં હંમેશા શાંતિ રહેશે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.
- રોજ પહેલી રોટલી ગાયને ખવડાવો બીજી રોટલી કૂતરાને ખવડાવો અને ત્રીજી રોટલી પુરુષે ખાવી જોઈએ.
- વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં બાથરૂમ ક્યારેય ઘરના રસોડાની સામે ન રાખો અને જો હોય તો રસોઈ બનાવતી વખતે બંધ રાખો.