કેન્દ્ર સકારની વિધવા પેન્શન યોજના આર્થિક રૂપથી ગરીબ અને નિસહાય વિધવા મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ ગરીબ વિધવા મહિલાઓને આર્થિક સહાય કરવામાં આવે છે.
વિધવા સહાય યોજના વિશે જાણો
વિધવા મહિલાઓને મળશે લાભ
યોજના માટે કેટલાક દસ્તાવેજ જરૂરી
આર્થિકરૂપથી કમજોર તેમજ તે મહિલાઓ કે જેમના પતિ ગુજરી ગયો છે તેમને સહાય કરવા માટે આ યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો સીધો ફાયદો વિધવા મહિલાઓને મળે છે. આ યોજના માટે કેટલાક ડૉક્યુમેન્ટ્સની જરૂર પડે છે.
શરૂઆતમાં આ યોજના હેઠળ વિધવાઓને 300 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે. જો કે સરકારે આ રકમ વધારીને 500 રૂપિયા કરી દીધી છે. આ યોજના હેઠળ હવે લાભાર્થીઓને 500 રૂપિયા મળે છે.
વિધવા મહિલાઓને જ મળશે લાભ
આ યોજના હેઠળ માત્ર વિધવા મહિલાઓને જ લાભ મળશે. યોજનાનો લાભ લેવા માટે વિધવા મહિલાની ઉંમર 18 થી 60ની વચ્ચે હોવી જરૂરી છે. જો વિધવા મહિલાને બાળકો છે અને તેમના ભરણ પોષણ માટે તેને તકલીફ થઇ રહી છે તો તે પેન્શન મેળવવા યોગ્ય છે. જો કોઇ વિધવા મહિલા ફરીથી લગ્ન કરી લે છે તો તેને આ યોજનાનો લાભ નહી મળી શકે.
યોજના માટે આ દસ્તાવેજ જરૂરી
યોજના માટે પતિના મૃત્યુનુ પ્રમાણપત્ર, અપ્લાય કરનાર મહિલાનું આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનું પ્રમાણપત્ર, બેઁક અકાઉન્ટ ડિટેલ્સ, મોબાઇલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટાની જરૂર પડશે.
કેવી રીતે કરશો અપ્લાય
મહત્વનું છે કે, આ યોજનાનો લાભ લેવા માટે વિધવા પેન્શન યોજનાની ઓફિશીયલ સાઇટ પર જઇને અપ્લાય કરવું પડશે. જે બાદ તમારુ નામ રજીસ્ટર કરો અને તમને જે પણ માહિતી પૂછે તે એડ કરીને રજીસ્ટ્રેશન કરો. જાણકારી વ્યવસ્થિત રીતે ભરીને સબમિટ કરવાનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો એટલે તમે સક્સેસફૂલી અપ્લાય કરી દીધુ છે.