વેક્સિનેશન પર કટાક્ષ કરતા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કાલે જો પાકિસ્તાન સાથે યુદ્ધ થયું તો કેન્દ્ર સરકાર કહી દેશે કે શું દિલ્હી તેના પરમાણું બોંબ બનાવ્યો છે.
વેક્સિનેશનની અછત પર અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા
કેન્દ્ર સરકાર પર કર્યાં પ્રહાર
કેન્દ્ર સરકારે યુદ્ધ સ્તરે રસીકરણ અભિયાન ચલાવવું પડશે
બધી જવાબદારી રાજ્યો પર છોડી દેવી સારી નહીં
વિદેશમાંથી વેક્સિન ખરીદવાના મામલે કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં જણાવ્યું કે વેક્સિનેસનની બધી જવાબદારી રાજ્યો પર છોડી દેવી સારી વાત નથી. કેન્દ્ર સરકારે યુદ્ધ સ્તરે રસીકરણ અભિયાન ચલાવવું પડશે, નહીંતર કામ નહીં ચાલે. આ તો એવું થયું કે કાલે પાકિસ્તાન ભારતની સાથે યુદ્ધ જાહેર કરે તો કેન્દ્ર સરકાર કહી દેશે દિલ્હીવાળાએ પરમાણુ બોંબ બનાવ્યો, યુપી વાળાએ ટેન્ક ખરીદી છે.
વેક્સિન પૂરી પાડવાની જવાબદારી કેન્દ્ર સરકારની-કેજરીવાલ
જો યુદ્ધના સમયે કેન્દ્ર સરકાર રાજ્યોને કહી દે કે તમારા પોતાના હથિયારો સાબદા કરીને રાખો. આવું ન બની શકે. કેન્દ્ર સરકારની જવાબદારી વેક્સિન ખરીદવા અને સપ્લાય કરવાની છે.
સ્પુતનિક-વીના ઉત્પાદક દિલ્હીને વેક્સિન આપવા તૈયાર થયા
કેજરીવાલે જણાવ્યું કે સ્પુતનિક વીના નિર્માતા દિલ્હીના કોરોનાની વેક્સિન સપ્લાય પૂરો પાડવા તૈયાર થયા છે. પરંતુ વેક્સિનના કેટલા ડોઝ મળશે તે હજુ નક્કી નથી. દિલ્હીમાં બ્લેક ફંગસના લગભગ 620 કેસ છે અને તેની સારવારમાં કામમાં આવતી એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શનની પણ અછત છે. કેજરીવાલે જણાવ્યું કે સ્પુતનિક સાથે વાતચીત ચાલી રહી છે. અમારા અધિકારીઓ અને વેક્સિન ઉત્પાદકોના પ્રતિનિધિઓની વચ્ચે મંગળવારે મુલાકાત થઈ હતી.