એક તરફ જ્યાં દેશમાં દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામનો પ્રારંભ થયો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ વેક્સિનેશન અભિયાન પર જ સવાલ ઉઠાવ્યાં છે.
સરકારના મંત્રીઓએ જ કેમ ન લગાવી વેક્સિન?
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કોરોના વેક્સિનેશન પર સવાલ ઉઠાવતાં પૂછ્યું કે સરકારના મંત્રીઓએ કોરોના વેક્સિન કેમ લગાવી નહીં, જ્યારે વિદેશોમાં સૌથી પહેલા રાષ્ટ્રપ્રમુખોએ જ કોરોનાની રસી લગાવી છે.
મનીષ તિવારીએ કહ્યું કે સરકારના કોઇ મંત્રીએ રસી લગાવી નથી. મંત્રીઓએ સામે આવી રસી લગાવી જોઇએ.
If the vaccine is so safe & reliable & efficacy of the vaccine is beyond question then how is it that not a single functionary of the government has stepped forward to get themselves vaccinated as it has happened in other countries around the world?: Congress MP Manish Tewari https://t.co/M1PdUV96Xr
દેશમાં કોરોના વાયરસની સામે રસીકરણ અભિયાન પ્રારંભ થવાની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ રસીના ઉપયોગની મંજૂરીની પ્રક્રિયા પર સવાલ ઉભા કર્યાં છે અને દાવો કર્યો છે કે રસીની તાત્કાલિક ઉપયોગની સ્વીકૃતિ આપવા માટે કોઇ નીતિગત માળખું બનાવામાં આવ્યું નથી.
મનીષ તિવારીએ ટ્વિટ કરી જણાવ્યું, 'રસીકરણનો પ્રારંભ થઇ ગયો છે અને આ અજીબોગરીબ છે કે ભારતની પાસે ઇમર્જન્સી ઉપયોગ માટે અધિકૃત કરવા કોઇ નીતિગત માળખું તૈયાર નથી. તેમ છતાં બે વેક્સિનના ડોઝને કટોકટીભરેલી સ્થિતિમાં નિયંત્રિત ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'કોવેક્સિનની અલગ વાર્તા છે. તેને ઉચિત પ્રક્રિયા વગર મંજૂરી આપી દેવામાં આવી છે.'
આ પહેલા પણ મનીષ તિવારીએ કહ્યું હતું કે કોવેક્સીનને સરકાર તરફથી અને ઇમરજન્સી ઉપયગ માટે લાયસન્સ આપવામાં આવ્યું હતું. હવે સરકાર જ કહી રહી છે કે વેક્સિન લેનારાઓ માટે આ વાતની મંજૂરી નથી કે તેઓ પોતાની માટે વેક્સિનની પસંદગી કરી શકે છે.
મનીષ તિવારીએ કહ્યું હતું કે કોવેક્સિનની ત્રીજા તબક્કાનું ટ્રાયલ પુર થયું નથી અને તેની ક્ષમતાને લઇને કેટલાક સવાલ ઉઠાવવામાં આવી રહ્યું છે. સરકારને વેક્સિનનો રોલ આઉટ કરવાની જરુરિયાત નહોતી. જો તમે રોલ આઉટનો ત્રીજા તબક્કાના ટ્રાયલ જેવો ઉપયોગ કરી શકતા નથી. ભારતીયો ગિનિ પિગ નથી.