ભૂલો કોઈને પણ થઈ શકે છે ત્યારે વાહન ચલાવતી વખતે ઓછામાં ઓછી ભૂલો થવી જોઈએ, ભૂલના કારણે દંડ પણ કરવામાં આવે છે ત્યારે ખોટી રીતે બનેલા ચલણને કેન્સલ કરાવી શકો છો
ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ભરવો પડે છે દંડ
ભૂલથી જો ચલણ બની જાય તો ફરિયાદ કરી શકો છો
જો ફરિયાદ સાચી હશે તો ચલણ તમારું રદ કરવામાં આવશે
ભૂલ કોઈ પણ વ્યક્તિથી થઇ શકે છે પરંતુ જ્યારે તમે વાહન સાથે રસ્તા પર મુસાફરી કરી રહ્યા હોવ, ત્યારે ભૂલો થવાની સંભાવના ઓછી હોવી જોઈએ. આ ત્યારે જ થશે જ્યારે તમે ટ્રાફિકના તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરશો. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોની સરકારો પણ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. આ માટે કડક કાયદા પણ છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર હાલના મોટર વાહન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. દંડથી લઈને જેલ સુધીની જોગવાઈ છે.
નિયમભંગ બદલ દંડ કરવામાં આવે છે
સામાન્ય રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લોકોનું ચલણ બનાવવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે તેઓને જેલમાં મોકલી શકાય નહી. ટ્રાફિકના ઘણા નિયમો છે, જેના ઉલ્લંઘનથી જેલ થઈ શકે છે. એટલા માટે દરેકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. પરંતુ, અહીં બીજી એક વાત જે સામે આવે છે તે એ છે કે જેમ બીજી વ્યક્તિ ભૂલ કરી શકે છે, તેમ ટ્રાફિક પોલીસ પણ ભૂલ કરી શકે છે. જો તમે માની લો કે ટ્રાફિક પોલીસે ભૂલથી તમારું ચલણ કાપી નાખ્યું છે, તો તેનો અર્થ એ નથી કે હવે તમારે તે ચલણ માટે દંડ ભરવો પડશે.
ટ્રાફિક ચલણ થશે કેન્સલ
એક એવી પણ જોગવાઈ છે કે જો ટ્રાફિક પોલીસ કર્મચારી ભૂલથી તમારું ચલણ કાપી લે અને તમને લાગે કે તમે કોઈ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો નથી, તો તમે તે માટે સંબંધિત વિભાગનો સંપર્ક કરી શકો છો. તમે ટ્રાફિક પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીને ફરિયાદ કરી શકો છો અને તેમને કહી શકો છો કે તમે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન નથી કર્યું, તમને ખોટી રીતે ચલણ આપવામાં આવ્યું છે.
કોર્ટમાં પણ પડકારી શકો
જો તેમને તમારી ફરિયાદ સાચી જણાશે, તો તમારું ચલણ રદ કરવામાં આવશે. આ તમે તમારા શહેરની ટ્રાફિક પોલીસ વિભાગની ઓફિસની મુલાકાત લઈને કરી શકો છો. આ સિવાય જો તમારું આ ચલણ હજુ પણ કેન્સલ નથી થયું તો તમે ચલણને પણ કોર્ટમાં પણ પડકારી શકો છો.