દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા સતત વધતી રહે છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યામાં સામાન્ય ઘટાડો જ નોંધાયો છે, તો જો તમને આ 7 લક્ષણ દેખાય તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઇ જાઓ.
કોરોના પેશન્ટ થઇ જજો સાવધાન
આ લક્ષણ દેખાય તો જજો દવાખાને
ભારતમાં વધી રહ્યાં છે રોજ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ સમયે દેશમાં 12 લાખ 64 હજારથી પણ વધુ લોકો કોરોનાથી પિડીત છે અને આ લોકોને હોસ્પિટલકે તેમના ઘરે જ ઇલાજ ચાલી રહ્યો છે. આવામાં સવાલ ઉઠી રહ્યો છે કે જો કોઇ દર્દી ઘરે જ આઇસોલેટ છે તો તેને કેવી રીતે ખબર પડશે કે તેને હોસ્પિટલમાં દાખલ થવુ પડશે કે નહી.
કોવિડનો રિપોર્ટ કેટલી વારમાં મળી જાય છે
દિલ્હી સ્થિત જીબી પંત હોસ્પિટલના ડોક્ટર સંજય કહે છે કે કોવિડના સામાન્ય લક્ષણ શરદી ખાંસી વગેરે છે. જો તમને ખાંસી, ગળામાં તકલીફ કે તાવ છે તો કોવિડની તપાસ કરાવી લેવી જોઇએ. તેની તપાસ સરકારી અને પ્રાઇવેટ બંને હોસ્પિટલમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે 4 કલાકમાં રિપોર્ટ મળી જાય છે પરંતુ કેસ વધારે હોય તો 24 કલાકની અંદર પણ રિપોર્ટ મળી જાય છે.
કેવી રીત ખબર પડશે કે દાખલ થવુ પડશે
ડૉ. સંજય પાંડે કહે છે કે જો સતત વધારે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ઓક્સિજન સેચુરેશન ઓછુ હોય, બેચેની અને ગભરામણ થાય, યાદ રાખવામાં તકલીફ થાય અથવા માથામાં દુખાવો થાય તો આવા પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે છે.
લક્ષણો બદલાયા છે
2020માં કોરોનાની શરૂઆત થઇ ત્યારે તેના લક્ષણ શરદી, ખાંસી, તાવ વગેરે હતા પરંતુ હવે નવા સ્ટ્રેનમાં લક્ષણો પણ બદલાયા છે. જેનાથી તમને ખબર પડશે કે તમને કોરોના થયો છે કે નહી અને તપાસ કરાવવી જોઇએ કે નહી.
પેટમાં દુખવુ અને બેચેની
ગરમી આવે એટલે સામાન્ય રીતે બેચેની થવા લાગે છે અને લોકો તેને નજરઅંદાજ કરી દે છે પરંતુ છેલ્લા થોડા દિવસમાં આવેલા પેશન્ટમાં બેચેની અને પેટના દુખાવાની ફરિયાદ લઇને આવ્યા હતા અને તે પોઝીટીવ આવ્યા છે. જો તમને આ સમસ્યા બે કે ત્રણ દિવસથી વધારે રહે છે તો તેને હલકામાં ન લેશો.
માંસપેશીઓમાં દુખાવો અને કમજોરી
કમજોરી પણ કોરોનાના લક્ષણમાં સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા દર્દીઓ જણાવે છે કે તેમને એવુ ફીલ થાય છે કે તે આળસના શિકાર બની ગયા હોય. તેમના શરીરમાં ઉર્જા જ ન રહે અને જો તે કોઇ જગ્યાએ બેસે તો એક બે કલાક સુધી ઉભા ન થઇ શકે. વધારે ચાલવા પર તેમને થાક લાગી જાય છે. માંસપેશીઓમાં પણ દુખાવો થાય છે. જો તમને આવા લક્ષણ છે તો તાત્કાલિક તપાસ કરાવી લો.
ભૂખ ન લાગવી અને મેન્ટલ હેલ્થ પર અસર
પહેલા કોરોનાના પોસ્ટ લક્ષણમાં જોવા મળતુ હતુ પરંતુ હવે મુખ્ય લક્ષણમાં આવી ગયુ છે કે કોરોનાના પેશન્ટને સામાન્ય રીતે મેન્ટલ હેલ્થ પર અસર થઇ જાય છે. સ્વભાવ ચિડીયો થઇ જાય છે અને માણસ શારીરિક અને માનસિક રૂપથી કમજોર થઇ જાય છે.