વર વધુનું દામ્પત્ય જીવન કેવુ રહેશે, તે માટે કુંડળીમા રહેલા ગુણોનો મેળાપ કરવામાં આવે છે. જેને અષ્ટગુણ મેળાપ કહેવામાં આવે છે. તેમાં મુખ્યત્વે 8 વાતો પર ધ્યાન આપવામાં આવે છે.
વર-વઘૂની કુંડળી મેળવવી જરૂરી
જન્મ નક્ષત્રનો પ્રયોગ કરવામાં આવે છે
નક્ષત્ર જોઇને કરવામાં આવે છે મેળાપ
અષ્ટગુણ મેળાપમાં વર વધૂના જન્મ નક્ષત્રનો પ્રયોગ કરવામાં આવે છે. જન્મ નક્ષત્ર ન હોય તો નામાક્ષરના આધારે નક્ષત્ર જોઈને ગુણ મેળાપ કરવામાં આવે છે.
અષ્ટગુણ મેળાપના કયા છે 8 ગુણ ?
- વર્ણ- માનસિક અભિરુચિઓથી સંબંધિત હોય છે. તેમાં ચાર વર્ણ હોય છે. તેને અંગ્રેજીમાં એટીટ્યુડ કહે છે.
- વશ્ય- આ ભાવનાત્મક સંબંધને દર્શાવે છે.
- તારા- ભાગ્યોદયનું પ્રતિક છે. તેનો સંબંધ વર વઘૂની સફળતાથી થાય છે.
- યોનિ- આ પ્રણય સંબંધને દર્શાવે છે. તેમાં પ્રત્યેક નક્ષત્રને અશ્વ, શ્વાન, ગજ વગેરે સાથે જોડવામાં આવ્યો છે.
- ગ્રહમૈત્રી- આના આધારે એકમેકનો વિશ્વાસ અને સહયોગની સ્થિતિનું આકલન કરવામાં આવે છે.
- ગણ- આમા પરિવારની સાથે સંબંધ અને સંપનુ આકલન હોય છે.
- ભકૂટ- દામ્પત્ય જીવનમાં મધુરતા અને પ્રેમના આકલનમાં સહાયરુપ હોય છે.
- નાડી- દામ્પત્ય જીવનમાં સ્થિરતાનું પ્રતિક હોય છે. નાડી માત્ર ત્રણ હોય છે. મધ્ય, આદિ અને અંત્ય નાડી. નાડી અલગ હોય તો જ તેનું મિલન કરાવી શકાય તેવું મનાય છે.
કુંડળી મેળાપ ક્યારે શુભ મનાય છે ?
કહેવાતા આ 8 ધોરણોના આધારે ગુણ મેળાપ કરવામાં આવે છે. આ બધાનો કુલ યોગ અંક 36 હોય છે. તેમાંથી 18 કે તેથી વધુ ગુણ મળવા પર મેળાપ શુભ માનવામાં આવે છે. તો આ સાથે જ નાડી અને ભકૂટ પર સૌથી વધુ વિચાર કરવામાં આવે છે. નાડી અને ભકૂટના અંક ક્રમશ: 8 અને 7 હોય છે. આ બન્નેના મેળાપ પર કુંડળી મળવાની સંભાવના અત્યંત પ્રબળ બની જાય છે. આ બંન્નેના હકારાત્મક હોવા પર કુલ 15 અંકનો યોગ ગુણ મેળાપ બની જાય છે.
ગુણ મેળાપના સિવાય પણ માંગલિક દોષ પર પણ વિચાર કરવો આવશ્યક છે. જન્મ નક્ષત્ર વિશે ખબર ન હોવા પર જ લગ્ન માટે નામાક્ષર નક્ષત્ર પર વિચાર કરાય છે.