ભારતીય નાગરિકો માટે તમામ તહેવારો અને ઉત્સવો પૈકીનાં અગત્યનાં રાષ્ટ્રીય તહેવારો એટલે ૧૫મી ઓગષ્ટ (સ્વતંત્રતા દિવસ) અને ૨૬મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ). આજે ભારત દેશ ૭૦મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે.
આજનાં દિવસથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશ સરકારનાં વાલીપણા હેઠળથી સંપૂર્ણ પ્રજાસત્તાક(ગણતંત્ર) દેશ બન્યો હતો. ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસ સુધી બંધારણ સમિતિ પોતાનું બંધારણ ઘડવાનું કાર્ય કર્યું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ બંધારણ અમલી બન્યું અને પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે રાજેન્દ્રપ્રસાદ ચૂંટાયા.
કાળક્રમે બંધારણમાં ઘણાં બધાં સુધારા-વધારા થયાં. આ તમામ બાબતો વચ્ચે આપણે આજે 70 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વહેલી સવારે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને પરેડને સલામી આપી આ ઘટના ઐતિહાસિક બની. આ ઘટનામાં ભાગીદાર થવા માટે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા આવી પહોંચ્યા તે બાબત પણ ભારત માંટે ગૌરવપ્રદ છે.
મિત્રો ગત મોડી રાતે નજીકના એક મિત્રએ દેશભક્તિ દર્શાવતો એક વિડિઓ મોકલ્યો જેમાં એક માસ્તરે વિદ્યાર્થીઓને કલાસરૂમમાં સવાલ પૂછ્યો કે રાષ્ટ્ર ધ્વજમાં કેટલા રંગો આવે..? હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓએ જવાબમાં 3 કહ્યું પરંતુ એક વિદ્યાર્થી બોલી ઉઠ્યો સાહેબ રાષ્ટ્રધ્વજમાં તો 5 રંગો આવે.
શિક્ષકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને ગુસ્સે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીને બેંચ પર ઉભા થઈને કાન પકડાવ્યા. સાથે પૂછ્યું કે બોલ કેવી રીતે 5 રંગ..? વિદ્યાર્થીએ રડતાં-રડતાં જવાબ આપ્યો સાહેબ કેસરી સફેદ અને લીલો રંગ તો મુખ્ય છે જ પરંતુ આ સાથે અશોકચક્રનો રંગ તથા મારા શહીદ પિતાના શરીર પર વીંટળાયેલા તિરંગા પર લાગેલા લોહીના લાલ ધબ્બાનો રંગ. વિદ્યાર્થીની વાત સાંભળી શિક્ષક પણ રડી પડ્યા અને ક્લાસની બહાર નીકળી ગયા.
If this doesn’t wake you up nothing will. If this doesn’t brings tears to you nothing will. If this doesn’t unifies us nothing will. Jai Hind pic.twitter.com/sCG73WL7pH
આ VIDEO ને ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર ખેલાડી ગૌતમ ગંભીરે પણ પોતાના સત્તાવાર ટ્વીટર પેજ પર શેર કર્યો છે. વાત સામાન્ય છે પરંતુ તેનો મર્મ વિશાળ છે. આજે વિદેશી વસ્તુઓ અને વિદેશી સંસ્કૃતિની ઘેલછાં ધરાવતું આપણું યુવાધન દિવસે-દિવસે ગેરમાર્ગે વળી રહ્યું છે જે ખરેખર ખુબ જ ગંભીર બાબત છે.
ત્યારે એટલું જ કહેવાનું મન થાય કે ૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુઆરીએ જ દેશભક્તિ દેખાડ્યા કરતાં દરરોજ દેશભક્તિનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે તો જ ભારતમાતાને પરમ વૈભવનાં શિખર પર પ્રસ્થાપિત કરી શકાશે એ જ અપીલ સહ ગણતંત્રદિવસની સર્વને શુભકામનાઓ.
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે)