જો તમને આંખોમાં આ 4 પ્રકારની તકલીફ જોવા મળે તો ક્યારેય પણ ઇગ્નોર કરતા નહી. આ ડાયાબિટીસના સંકેત પણ હોઈ શકે છે.
આંખોથી મળે છે ડાયાબિટીસનાં સંકેત
4 વોર્નિંગ સાઈનને ન કરો ઇગ્નોર
હોય શકે છે ગંભીર બીમારીનાં સંકેત
ડાયાબિટીસની સમસ્યા માત્ર ભારતમાં જ નહી, પરંતુ દુનિયાભરમાં છે, જો એકવાર આ બીમારી શરીરમાં ઘર કરી જાય, તો જીવનભર પીછો છોડતી નથી. આ બીમારીના દર્દીઓએ હંમેશા બ્લડ શુગર મેન્ટેન કરવું પડે છે. જો તમારા શરીરમાં કોઈ ખાસ બદલાવ જોવા મળે, તો સમજી જાઓ કે આ ડાયાબિટીસનો ઈશારો છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, ડાયાબિટીસની વોર્નિંગ સાઈન આંખોનાં માધ્યમથી મળી શકે છે, એટલા માટે આ સંકેતોને ઇગ્નોર ન કરવા જોઈએ.
આંખોની આ 4 સાઈન ક્યારેય ન કરો ઇગ્નોર
1. મોતિયો
કોઇપણ વ્યક્તિને ડાયાબિટીસ થતા પહેલા મોતિયાની સમસ્યા થઇ શકે છે. એટલા માટે આ ઇશારાને ક્યારેય ઇગ્નોર ન કરવો જોઈએ અને તરત જ બ્લડ શુગર ટેસ્ટ કરાવો, સમય પર બીમારીની જાણ થતા ખતરાને ટાળી શકાય છે.
2. ગ્લૂકોમા
આવી તકલીફ ત્યારે થાય છે, જયારે આંખોમાંથી પ્રવાહી પદાર્થ બહાર નથી આવી શકતો, આ પરિસ્થિતિમાં આંખો પર ઘણું પ્રેશર પડે છે અને તેના બ્લડ સેલ્સ અને નસોને ઘણું નુકસાન થાય છે. પીડિત વ્યક્તિને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસનાં દર્દીઓને ગ્લૂકોમાનો પણ ખતરો રહે છે. જેમાં આંખોમાં દુખાવો, માથું દુખવું જેવી તકલીફો થઇ શકે છે.
3. દ્રષ્ટિમાં અસ્પષ્ટતા
જો તમે તામારી આંખોથી સ્પષ્ટ જોઈ શકતા નથી તો આ ડાયાબિટીસનો ઈશારો હોય શકે છે, આવામાં તરત જ તપાસ કરાવવી જરૂરી છે. બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવાથી આ તકલીફને દૂર કરી શકાય છે, જોકે આંખની દ્રષ્ટિ બરાબર થતા થોડા મહિનાઓનો સમય લાગી શકે છે.
4. ડાયાબિટીક રેટિનોપેથી
ડાયાબિટીક રેટિનોપેથી એક એવી સમસ્યા છે, જે બ્લડ શુગરથી પરેશાન વ્યક્તિની રેટિના પર ખરાબ અસર કરે છે. આ રેટિનાં સુધી લોહી પહોંચાડનાર નસોને નુકસાન થવાથી થાય છે. જો સમય રહેતા આ સમસ્યાનો ઈલાજ ન કરવામાં આવે, તો દર્દીની આંખોની દ્રષ્ટિ જવાનો પણ ખતરો રહે છે.