જો કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે અને આ લક્ષણો જોવા મળે તો તમારે તરત જ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ..
શિયાળામાં નવી કોરોનાની નવી લહેર આવી શકે છે
આ લક્ષણો જોવા મળે તો તમારે તરત જ કોરોના ટેસ્ટ કરાવવો
વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂકેલ લોકો સંક્રમિત થઈ રહ્યા છે
કોવિડ-19ની મહામારી હજુ પૂરી થઈ નથી. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના ઘણા સબ વેરિઅન્ટ્સ જેમ કે બીએક.7 ઓમિક્રોન (BF.7 Omicron), બિક્યુ.1 (BQ.1), બિક્યુ.1.1 (BQ.1.1), બીએ 2.2.3.20 (BA 2.2.3.20 ) આવી ચૂક્યા છે અને નિષ્ણાતોનું માનવું છે કે શિયાળામાં નવી કોરોનાની નવી લહેર આવી શકે છે.
આ વેરિઅન્ટ્સના લક્ષણો ગંભીર નથી પણ એવું માનવામાં આવે છે કે તે ઝડપથી સંક્રમિત કરી શકે છે. આ નવા વેરિઅન્ટ્સથી સંબંધિત બે બાબતો ખાસ કરીને ચિંતાજનક છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. પહેલી- તે રોગપ્રતિકારક શક્તિને નબળી કરી શકે છે અને બીજું - જે લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે તે લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે.
આજે અમે આ વેરિઅન્ટ્સના કેટલાક લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ, જો કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે અને તમને આ લક્ષણો જોવા મળે તો તમારે તરત જ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ..
વહેતું નાક
Zoe Covid Study App અનુસાર જે લોકોમાં રોના વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે તેવા લોકોમાં વહેતું નાક કોવિડનું એક લક્ષણ હોય શકે છે. આ લક્ષણ એવા લોકોમાં સામાન્ય માનવામાં આવે છે જેમને વેક્સિન આપવામાં આવી છે. કોવિડ સ્ટડી એપના ડેટા અનુસાર આ લક્ષણ 83 ટકા લોકોમાં જોવા મળ્યું છે.
અહીં સવાલ એ ઊભો થાય છે કે નાક વહેવું એ શરદીનું સામાન્ય લક્ષણ છે તો તેને કોરોનાનું લક્ષણ કેવી રીતે ગણી શકાય? જણાવી દઈએ કે આ અંગે કોવિડ સ્ટડી એપ કહે છે કે વહેતું નાકનું કારણ કોરોના પણ હોઈ શકે છે. આ સમયે કોરોના વાયરસ કેટલો ફેલાય છે તેના પર નિર્ભર રહેશે. જ્યારે કોરોના સંક્રમણનો દર ઊંચો આવશે ત્યારે કોવિડ સંક્રમણને કારણે નાક વહેવાની સંભાવના વધારે હોય છે.
જો એ સિવાય આ લક્ષણો દેખાય તો સાવધાન
આ સિવાય ગળામાં દુખાવો, નાક બંધ થવું, ઉધરસ અથવા માથાનો દુખાવો પણ કોરોનાના લક્ષણો હોઈ શકે છે. આ બધા સિવાય જો તમે સતત છીંકો છો તો પણ તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે તે કોરોનાનું લક્ષણ પણ હોઈ શકે છે. જો કોઈ શંકા હોય તો તરત જ કોરોના ટેસ્ટ કરાવીને ડૉક્ટરની સલાહ લો.