મુંબઇમાં સીબીઆઇની તપાસ ચોથા દિવસે પણ ચાલી રહી છે. કેસથી જોડાયેલા ચાર સાક્ષીઓ સાથે પૂછપરછ થઇ ચૂકી છે. હવે સવાલ તે છે કે આ 4 લોકો સાથે પૂછપરછ કેસને સોલ્વ કરી શકશે?
સુશાંતના વિસેરા લઇ શકે છે?
સુશાંત કેસમાં આગળ વધી ?
મુંબઇ પોલિસની તપાસ પર સવાલ
મુંબઇ પોલિસે સુશાંતનો વિસરા તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો હતો. જેમાંથી 80 ટકા સેમ્પલ તપાસમાં વપરાઇ ગયા છે. હવે CBI પાસે માત્ર 20 ટકા સેમ્પલ જ રહી ગયું છે. સીબીઆઇને હવે આ 20 ટકા સેમ્પલમાં જે રિપોર્ટ આવે તેના પર જ નિર્ભર રહેવું પડશે.
કલીનાના ફોરેન્સિક લેબના સૂત્રો અનુસાર મુંબઇ પોલિસે સુશાંતના વિસરાના જે નમૂના મોકલ્યા હતા તેમાંથી 80 ટકા જેટલા ઓર્ગન તપાસમાં વપરાય ગયા છે. જેમાંથી 20 ટકા જેટલુ સેમ્પલ વધેલ છે.
જો સીબીઆઇ ઇચ્છે તો તે વધેલા વિસરાને પણ પોતાના કબ્જામાં લઇ શકે છે. સુશાંતના રૂમમાંથી મળેલા સિગરેટના સેમ્પલ અને દવાઓની તપાસ પણ હજૂ કરવાની બાકી છે.
જો સીબીઆઇને વિસરા રિપોર્ટમાં કોઇ શંકા લાગે તો તે આ વધેલા સેમ્પલમાંથી ફરી રિપોર્ટ કરાવીને સત્ય સાબિત કરી શકે છે. સુશાંતની મોત જે રૂમમાં થઇ હતી તે જગ્યાએથી મોટા ભાગના પુરાવા નષ્ટ થઇ ચૂક્યા છે, માટે ત્યાંથી કોઇ પુરાવા મળે તેવા ચાન્સ ઘણા ઓછા છે.
કેસથી જોડાયેલા ફિઝીકલ પુરાવા નષ્ટ થઇ ચૂક્યા છે અથવા તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.
સીબીઆઇની ટીમ શનિવારે કૂપર હોસ્પિટલ પહોંચી હતી. સુશાંત કેસથી જોડાયેલા પુરાવા પોતાના કબ્જામાં લઇ લીધા છે. સુશાંતનુ પોસ્ટમોર્ટમ પણ કૂપર હોસ્પિટલમાં થયુ હતુ પરંતુ સીબીઆઇએ સુશાંતના વધેલા વિસરાના નમૂના નથી લીધા. કારણકે હાલ તેની કોઇ જરૂર નથી. જો તપાસ બાદ જણાશે કે તે રિપોર્ટ અધૂરી છે તો ફરીથી વિસરા રિપોર્ટ કરાવવામાં આવશે.