વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત 3 ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ શરૂ કરશે.
ટીમ ઇન્ડિયા આ દરમિયાન T-20 ઇન્ટરનેશનલ, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે. 2019 વર્લ્ડ કપમાં હાર પછી સિલેક્ટર્સે ટીમ ઇન્ડિયામાં બદલાવ કર્યા છે અને ખરાબ ફોર્મ કરનારા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. હવે સિલેક્ટર્સ યુવા ખેલાડીઓને વધારેમાં વધારે મૌકો આાપી રહ્યા છે જેથી વર્લ્ડ કપ 2023 સુધી એક સારી ટીમ તૈયાર થઇ શકે છે. ટીમ ઇન્ડિયામાં કેટલાક એવા ખેલાડીઓ છે જેના ફોર્મમાં સુધાર ના આવ્યો તો તેમને ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાંથી બહાર કાઢવામાં આવી શકે છે
મનીષ પાંડે:
સિલેક્ટર્સે નંબર 4ને ધ્યાનમાં રાખતા ફરી એક વખત મનીષ પાંડને વનડે અને T-20માં મૌકો આપ્યો છે. મનીષ પાંડે સતત ખરાબ ફોર્મમાં છે,એવામાં તે ટીમની અંદર-બહાર થતો રહે છે. 29 વર્ષના મનીષ પાંડે સતત વેસ્ટ ઇન્ડિઝના વિરુદ્ઘ સારુ ફોર્મ ના કરી શક્યો તો કદાચ ફરી તેણે ટીમ ઇન્ડિયામાંથી રમવાનો મૌકો મળશે નહી. મનીષ પાંડેએ બહાર થવા પર મંયક અગ્રવાલ જેવા યુવા ખેલાડીઓને મૌકો આપવામાં આવી શકે છે.
કેદાર જાધવ:
34 વર્ષીય કેદાર જાધવને 2019 વર્લ્ડ કપમાં વધારે મૌકો આપવામાં આવ્યો ન હતો, કેમકે તે બૉલને વધારે દૂર સુધી હિટ ન હતો કરી શક્યો. પોતાને સાબિત કરવા માટે આ તેનો છેલ્લો મોકો હોઇ શકે છે. જાધવે 2014માં શ્રીલંકા વિરુદ્ઘ પોતાની પહેલી વનડે મેચ રમી હતી. કેદારે અત્યાર સુધી 65 મેચ રમી છે જેમાં 43.24ની એવરેજથી 1254 રન બનાવ્યા છે, જેમાં 2 સેન્ચુરી પણ શામેલ છે. કેદાર જાધવ જો ફેલ થયો તો શુભમન ગિલ જેવા ખેલાડીને જગ્યા આપવામાં આવી શકે છે.
કે.એલ.રાહુલ:
27 વર્ષયી કે.એલ.રાહુલે તાજેતરમાં જ વર્લ્ડ કપ 2019માં રોહિત શર્માની સાથે ઑપનિંગ કરી હતી. વનડેમાં રાહુલનું ફોર્મ ઠીક-ઠાક રહ્યુ, પરંતુ ટેસ્ટ મેચમાં તેનું ફોર્મ ઠીક-ઠાક અને ટેસ્ટમાં નિરાશાજનક રહ્યુ. રાહુલે હજુ સુધી 34 ટેસ્ટ મેચ રમી છે અને તેમાં 35.28ની એવરેજથી 1905 રન કર્યા જેમાં 5 સેન્ચુરી શામેલ છે. તો ટીમમાં તેની જગ્યા પૃથ્વી શૉ લઇ શકે છે પરંતુ હાલમાં તે ઇજાગ્રસ્ત છે. પરંતુ જો ટેસ્ટમાં રાહુલ સારુ ફોર્મ ના કરી શક્યો તો પૃથ્વી તેની જગ્યા લઇ શકે છે. 19 વર્ષીય પૃથ્વીએ અત્યાર સુધી 2 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 118.5ની એવરેજથી તેણે 237 રન કર્યા છે, જેમાં 1 સેન્ચુરી અને 1 હાફ સેન્ચુરી શામેલ છે.
ઋદ્ઘિમાન સાહા:
34 વર્ષના ઋધિમાન સાહાએ પોતાની છેલ્લી ટેસ્ટ 2018માં સાઉથ આફ્રિકા વિરુદ્ઘ રમી હતી. સાહાએ અત્યાર સુધી 32 ટેસ્ટ રમી છે જેમાં 30.63ની એવરેજથી 1164 રન કર્યા છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર જો સાહા સારુ ફોર્મ ના કરે તો કે.એસ.ભરત અને રિષભ પંત જેવા વિકેટકીપર બેટ્સમેનને સિલેક્ટર્સ પસંદ કરી શકે છે.