આજની મેચમાં ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ સારી રીતે રમી ગયા તો આજે ઈંગ્લેન્ડ સામે ભારતની જીત પાકી છે. ચાલો જોઈએ કોણ છે એ ત્રણ ખેલાડી..
ટીમ ઈન્ડિયા પાસે હાલ ઇતિહાસ રચવાનો મોકો
ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ બની શકે છે ગેમ ચેન્જર
T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે શરૂ થવા જઈ રહ્યો છે અને આ મેચમાં જે પણ ટીમ જીતશે તે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલમાં રમાવવા જઈ રહી છે અને આ ખાસ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે.
ભારત માટે આ મેચ જીતવી ઘણી જરૂરી છે. ટીમ ઈન્ડિયા પાસે હાલ ઇતિહાસ રચવાનો મોકો છે અને કેપ્ટન રોહિત શર્મા કોઈ પણ રીતે આ મોકો ગુમાવવા નથી માંગતા. એવામાં જો આજની મેચમાં ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ સારી રીતે રમી ગયા તો આજે ઈંગ્લેન્ડ સામે ભારતની જીત પાકી છે. ચાલો જોઈએ કોણ છે એ ત્રણ ખેલાડી..
વિરાટ કોહલી
કિંગ કોહલીએ અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને 5 મેચમાં એમને સૌથી વધુ 246 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 123ની એવરેજથી અને 140ના સ્ટ્રાઈક રેટથી આટલા રન બનાવ્યા છે. ખાસ કરીને જણાવી દઈએ કે કોહલીના બેટમાંથી અત્યાર સુધી પાંચ ઇનિંગ્સમાં ત્રણ અડધી સદી આવી છે. એટલા માટે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં કોહલી મોટો ગેમ ચેન્જર બની શકે છે.
સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધીના તેના શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. સૂર્યા એ અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 3 અડધી સદી ફટકારી છે અને વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 225 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 75થી વધુ રહી છે અને 193થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. એટલા માટે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં સૂર્યા ટીમ ઈન્ડિયા માટે મોટો ગેમ ચેન્જર બની શકે છે.
અર્શદીપ સિંહ
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી તેના કરિયરની શાનદાર બોલિંગ કરી છે. વર્લ્ડ કપની 5 મેચમાં અર્શદીપ સિંહે 10 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં તે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં અર્શદીપ સિંહ ટીમ ઈન્ડિયા માટે મોટો ગેમ ચેન્જર બની શકે છે.