પાનકાર્ડ હોવા છતાં ઇન્કમટેક્સ રિટર્ન નહીં ભરનારા લોકો સામે હવે વિભાગ દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે આવા લોકોને વિભાગે નોટિસ ઇશ્યૂ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારબાદ હવે જે કરદાતાઓ રિટર્ન ફાઈલ કરી રહ્યા છે, પરંતુ તેમના ઇન્કમટેક્સ રિટર્નમાં ઓછી આવક બતાવી રહ્યા છે. તે તમામ સામે પણ વિભાગ હવે એક્શનમાં આવ્યો છે.
હાલમાં દિલ્હી સહિતના કેટલાક શહેરોમાં આ પાઈલટ પ્રોજેક્ટ તરીકે આ પદ્ધતિ અમલી થઈ ચૂકી છે અત્યાર સુધી જૂની પદ્ધતિ મુજબ ૨૦૦ જેટલા કેસ એટલે કે ઇન્કમટેક્સ રિટર્ન હોય તો તેમાંથી રેન્ડમ એક અથવા બે કેસની સ્ક્રૂટિની કરવામાં આવતી હતી હવે તેમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. નવી પદ્ધતિ મુજબ જેટલા પણ અધૂરી માહિતીવાળા કેસ હશે તેવા તમામ ઇન્કમટેક્સ રિટર્નની ચકાસણી કરવામાં આવશે.
વિભાગના અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ જલ્દીથી ગુજરાતમાં અમલી થશે, જેનો હેતુ કરચોરી અટકાવવાનો છે. આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ કેયુર પરીખે જણાવ્યું હતું કે નવી પદ્ધતિ અમલી થવાથી કરદાતાને કોઈ ફાયદો થશે નહીં, કરદાતાની મુશ્કેલી વધશે અને તેની અસર તેના વેપાર ધંધા પર પણ પડશે જો કે વિભાગને તેનાથી બહુ મોટો આર્થિક ફાયદો થશે
અત્યાર સુધીની પદ્ધતિ મુજબ રેન્ડમ કેસો ઉપરાંત કોઈ પણ કેસમાં શંકા જાય તો પણ તેની ચકાસણી કરવામાં આવે છે. વિભાગ પાનકાર્ડથી લઈને બેંક ડિટેઇલ-બેંક એકાઉન્ટ સહિતની વિગતો મેળવે છે. હવે નવી પદ્ધતિ મુજબ હવે મેન્યુઅલ નહીં પરંતુ સોફ્ટવેર દ્વારા દરેક કરદાતાની ફાઇલની ચકાસણી કમ્પ્યુટર દ્વારા જ થશે સોફ્ટવેર જ એવું હશે કે કરદાતાના ક્યાં ક્યાં નાણાંકીય વ્યવહારો થયા છે તેની ખબર પડી જશે પાનકાર્ડ, બેંક ડિટેઇલ વિગેરે માહિતી પહેલેથી જ સોફ્ટવેરમાં હશે જે કેસ શકાસ્પદ હશે તેને અલગ તારવવામાં આવશે જયારે 200 કેસ દીઠ રેન્ડમ માત્ર એક કે બે કેસ નહીં પણ તમામ કેસોની સ્ક્રૂટિની મેન્યુઅલના બદલે સોફ્ટવેર દ્વારા જ થશે