બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / If there is some writing on the currency note should it be accepted or not

તમારા કામનું / ચલણી નોટ પર કંઈક લખાણ હોય તો સ્વીકારવી કે નહીં? દૂર કરો કન્ફ્યુઝન

Arohi

Last Updated: 08:21 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત આપણા જોડે એવુ બનતુ હોય છે કે આપણે દુકાન પર જ્યારે પૈસા આપીએ ત્યારે જો નોટ પર કંઈક લખેલુ હોય તો તેવી નોટ લેવાની દુકાનદાર ના પાડી દે છે. શું આવી નોટ માન્ય નથી? આવો જાણીએ.....

  • શું નોટ પર લખાણ હોય તો તે લિગલ ટેન્ડર નથી રહેતી? 
  • કોઈ વ્યક્તિ આવી નોટ લેવાનો ઈનકાર કરી શકો? 
  • આ બધા પ્રશ્નોના જવાબ આવો જાણીએ...

હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે RBI દ્વારા જાહેર કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વાયરલ મેસેજમાં લખેલું છે કે RBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નોટ પર કંઈ પણ લખાણ કરેલું હશે તો તે નોટ લિગલ ટેન્ડર નહીં રહે. એટલે કે કાયદાકીય રીતે તે નોટને સ્વીકાર કરવામાં આવશે નહીં. તો શું આવાત સાચી છે? આવો જાણીએ...

નોટ પર કંઈ લખેલું હોય તો એવી નોટ આપણે લેવી જોઈએ કે નહીં? 
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈ વ્યક્તિ આપણને એવી નોટ આપે જેના પર કંઈક લખેલું હોય તો તે નોટ આપણે સ્વીકારવી જોઈએ કે નહીં? તેનો જવાબ આપણી સરકાર એટલે કે પ્રેસ ઈન્ફોર્મેશન બ્રૂરોએ જ આપ્યો છે કે આવો કોઈ કાયદો છે નથી. 

જો નોટ પર નાની એવી અમુક વસ્તુઓ લખેલી હશે તો તે લિગલ ટેન્ડર જ રહેશે અને તે નોટ ચલણમાં જ રહેશે. પરંતુ જો નોટ પણ એવી કોઈ વસ્તુઓ લખેવી હોય જે 'ઈનવેલિડ' એટલે કે અમાન્ય હોય તો તે નોટ સ્વીકારવામાં આવતી નથી. તે ઈનવેલિડ વસ્તુઓ કઈ હોઈ શકે હવે તેના વિશે જાણીએ...

નોટ પર શું લખેલું ન હોવું જોઈએ? 
RBIની વેબસાઈટ પર 1 જુલાઈ 2020માં એક માસ્ટર સર્કુલર જાહેર કરવામાં આવ્યું હતું જેના આઠમાં પોઈન્ટમાં તેમણે લખેલું છે કે કોઈ પણ નોટ પર કોઈ પણ વસ્તુ લખેલી હોય તો તેને ચાર ભાગમાં ડિવાઈડ કરી શકાય. 

  • કોઈ પણ પોલિટીકલ મેસેજ 
  • કોઈ ધર્મને લઈને કોઈ મેસેજ 
  • કોઈ પણ જાતનું સ્ક્રિબલિંગ એટલે કે આટલી નોટ છે કે કોઈ વ્યક્તિનું નામ વગેરે વગેરે 
  • કોઈ પણ કલરનો કે કોઈ પણ પ્રકારનો ડાધો 

પહેલા બે પોઈન્ટ્સની વાત કરીએ તો કોઈ પણ નોટ પર એવું કંઈ લખ્યુ છે જેનાથી કોઈ પણ પોલિટીકલ વ્યક્તિ કે પાર્ટીને ફાયદો થઈ શકે. અથવા તો કોઈ ધર્મને લઈને કંઈ મેસેજ લખેલો હોય જેનાથી કોઈ ધર્મનું અપમાન થઈ શકે અથવા તો લોકોમાં શાંતિનો ભંગ થઈ શકે તો આવી બે પ્રકારની નોટો લિગલ ટેન્ડર ગણવામાં નહીં આવે અને તે ફક્ત કાગળનો ટુકડો બનીને રહી શકે છે. 

બેન્ક તેને સ્વીકારવાનો ઈનકાર પણ કરી શકે.  RBIએ જાહેર કરેલા નોટ રિફંડ્સ રૂલ્સ 2009ના પોઈન્ટ નંબર-3માં આ વાત જણાવવામાં આવી છે. પરંતુ આ નિર્ણય બેંકનો રહેશે કે આવી નોટ સ્વીકારવી કે નહીં. 

આ ઉપરાંત કોઈ પણ નોટ પર સામાન્ય લખાણ હોય અથવા તો કોઈ પણ કલરનો ડાધો લાગ્યો છે તો આવી નોટ તો લિગલ ટેન્ડર રહે જ છે. આવી નોટ જો આપણે બેંકમાં ડિપોઝિટ કે એક્સચેન્જ કરવા જઈએ તો બેંકે તેને ડિપોઝિટ કે એક્સચેન્જ કરી આપવી પડે છે. 

આવી નોટ બેંક પાસે જાય ત્યારે બેંક તેનું શું કરે છે? 
જો આવા કોઈ લખાણ કે ડાઘા વાળી નોટ જો બેંક પાસે જાયને તો બેંક તેને ફરી ઈશ્યુ નથી કરતી. આવી નોટ્સને બેંક કરન્સી ચેસ્ટમાં મુકે છે. જે ચેસ્ટ બેંક RBIને સોંપે છે અને RBI આવી નોટને સર્ક્યુલેશનમાંથી કાઢી નાખે છે. 

પરંતુ એક વાત જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે નોટ પર કોઈ પણ પ્રકારનું લખાણ ન કરવું. જેટલી નોટ ચોખ્ખી રહેશે તેટલી RBI પાસે નોટ ઓછી જશે અને તેમને નવી નોટ પ્રિન્ટ કરવાનો ખર્ચો બચી જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Currency RBI RBI Rules For Currency ચલણી નોટ તમારા કામનું RBI Rules For Currency
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ