1 જાન્યુઆરી 2020 બાદ ફાસ્ટેગ વગરની ગાડીઓ ટોલ લેનથી પસાર થશે તો તેમને બેગણો ટોલ આપવો પડશે. નવી વ્યવસ્થાને લઇને ટોલ પ્લાઝા સંચાલકોએ તૈયારી શરૂ કરી દીધી છે. તે સિવાય ટોલ પ્લાઝાની દરેક લેન 15 ડિસેમ્બરથી કેશલેશ થશે.
ફાસ્ટેગને લઇને બદલાયા નિયમો
ફાસ્ટેગ વગરની કારને બે ગણો ટોલ
જાગૃતિ ફેલાવવા માટે લગાવાયા કેમ્પ
કોઇ પણ ગાડી ફાસ્ટેગ વગરની હશે તો તેની પાસેથી બે ગણુ ટોલ લેવામાં આવશે. ટોલ લેનમાંથી પસાર થનાર ગાડીઓથી સાફ છે કે ભારતમાં હજુ પણ 25 ટકા ગાડીઓ ફાસ્ટેગ વગરની છે.
ટોસ કર્મચારીઓના હિસાબે, લોકોને ફાસ્ટેગને લઇને જાગરુક કરવામાં આવશે. કેટલીક બેઁકોએ તેમના કેમ્પ પણ લગાવ્યા છે સાથે જ અન્ય ટોલ પ્લાઝા પર પણ ફાસ્ટેગને લઇને લોકોને જાગરુક કરવામાં આવી રહ્યાં છે પરંતુ હવે 1 જાન્યુઆરીથી બે ગણો ટોલ લેવામાં આવશે.
સિવાયા ટોલ પ્લાઝા પર રોજ 35 હજારથી વધારે ગાડીઓ પસાર થાય છે, તેમાંથી 5 હજાર ગાડીઓ ફાસ્ટેગ વગરની હોય છે. નવી ગાડીઓમાં તો ફાસ્ટેગ લગાવેલું જ હોય છે પરંતુ જુની ગાડીઓમાં તે નથી હોતું.