જમવાનું બનાવવું એ એક અલગ જ કળા છે પણ જો જમવાનું બનાવતી વખતે તમારે અલર્ટ રેહવું જરૂરી હોય છે.જમવાનું બનાવતા તમારાથી થયેલી ગરબડ જમનારાના મુડની સાથે ખાવાનાનો સ્વાદ પણ બગાડી દેતી હોય છે. જો તમે ખાવાનું બનાવતા કોઈ ભૂલ કરી લો છો તો આ ટિપ્સ તમારી મદદ કરશે અને તમારી રસોઈ ફરીતી ખાવલાયક બની જશે.
રસોઈમાં થઈ છે ભૂલ તો કામની છે આ ટિપ્સ
ભોજનનો બગડેલો સ્વાદ સુધારી દેશે આ ટિપ્સ
ગૃહિણીઓને માટે કામની છે આ ખાસ ટિપ્સ
લાલ મરચું વધારે પડી જાય તો શું કરશો
ખાવાનું બનાવતી સમયે લાલ મરચું વધારે પડી જાય તો તેને ઘટાડવા માટે તમે દૂધ કે દહીનો ઉપયોગ કરી શકો છો. એવામાં ગ્રેવીમાં દહીંનો ઉપયોગ ટેક્સચરને પણ અલગ જ લૂક આપે છે. ભોજનની તીખાશ ઓછી થવાના કારણે અને સુંદર લૂકના કારણે ઘરના લોકો આરામથી તે ભોજન આરોગી શકે છે.
ભોજન વધારે મસાલેદાર થાય તો શું કરશો
જ્યારે ખાવાનામાં ઓવરઓલ બધા મસાલા વધારે પડી ચૂક્યા છે તો તમે જે તે વાનગીમાં થોડું મધ કે ખાંડ મિક્સ કરો. ધ્યાન રાખો કે તીખાશને ઓછી કરવાની સાથે તમે મીઠાસનું પ્રમાણ વધારી ન લો. આ બંનેમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ પ્રમાણસર રીતે કરો. તેનાથી તમારી ડિશના મસાલા ઓછા લાગશે.
મીઠું અને મરચું બંને વધારે હોય તો શું કરવું
ખાવાનું બનાવતી સમયે ગ્રેવીમાં મીઠું અને મરચું બંને વધારે થયું છે તો તમે શીંગદાણાની પેસ્ટ બનાવીને તેમાં મિક્સ કરી શકો છો. તેના સિવાય તમે નટ બટરનો પણ પ્રયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે નટ પેસ્ટને શાકમાં જ વાપરો, દાળમાં તમે આ કામ કરી શકશો નહીં. દાળ હોય તો મીઠું ઓછું કરવા તેમાં લોટનો એક નાનો ગોળો વાળીને નાંખો અને સાથે થોડું લીંબુ અને ગોળ ઉમેરો. તેનાથી તમારી દાળનો સ્વાદ જળવાઈ જશે. પીરસતી સમયે લોટનો ગોળો બહાર કાઢી લો.
મીઠું વધારે પડી ગયું હોય તો
જો તમારી રસોઈમાં મીઠું વધારે પડ્યું છે તો તમે મહેનત કર્યા વિના જ ઝડપથી સુધારી શકો છો. તમે તે ડિશમાં લીંબુનો રસ મિક્સ કરી શકો છો. તેનાથી થોડી ખટાશ આવશે અને તીખાશ ઘટશે. આ સાથે જ મીઠું પણ યોગ્ય લેવલમાં આવી જશે.
મસાલા વધી ગયા હોય તો શું કરશો
મીઠું, મસાલા, મરચું બધું વધારે હોય તો તમે ભોજનમાં ઈંડાનો અર્ક મિક્સ કરી શકો છો. આ ખાવાનાની થિકનેસ વધારે છે અને તીખાશ ઓછી કરે છે. આ સમયે ઈંડાને બાફીને તેનો યોર્ક મિક્સ કરો. કાચા ઈંડાથી ગ્રેવીનો સ્વાદ ખરાબ થઈ શકે છે.