સમુદ્રશાસ્ત્ર અનુસાર શરીરના ભાગો પર બનેલા નિશાન અને તલથી ઘણું જાણી શકાય છે.
શરીરના ભાગો પર બનેલા નિશાન અને તલથી ઘણું જાણી શકાય
શરીરનાં અલગ અલગ ભાગ પર આવેલ તલનું અલગ અલગ મહત્વ હોય છે
કુંડળીની સાથે હાથની રેખાઓ વાંચીને વ્યક્તિના જીવન વિશે ઘણું બધું જાણી શકાય છે. તે જ સમયે, સમુદ્રશાસ્ત્ર અનુસાર શરીરના ભાગો પર બનેલા નિશાન અને તલથી ઘણું જાણી શકાય છે. શરીર પર જોવા મળતા તલ સૂચવે છે કે વ્યક્તિ કેટલી ભાગ્યશાળી છે.
દરેક તલનું અલગ મહત્વ
શરીર પર તલ જોવા મળે તે સામાન્ય વાત છે, આ તલ જન્મથી જ અથવા તો જન્મ બાદ પણ હોઇ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ તલનું વિશેષ મહત્વ રહેલુ છે. શરીરનાં અલગ અલગ ભાગ પર આવેલ તલનું અલગ અલગ મહત્વ હોય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, આ તલનું કનેક્શન વ્યકિતના નસીબ સાથે રહેલુ છે. તો ચાલો જાણીએ શરીર પર તલના વિશે જેને આર્થિક રીતે શુભ માનવામાં આવે છે.
પેટ પર તલ
સમુદ્ર શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિના પેટ પર તલ હોય તો, તે વ્યક્તિ પૈસા અને આર્થિક રીતે વૈભવશાળી છે. એ ઉપરાંત તે વ્યક્તિ ખાવાનો પણ ખુબ શોખીન હોય છે. જોઈ કોઈ મહિલાને પેટ પર તલ હોય તો તેના સારા પતી અને સંતાનની પ્રાપ્તિ થાય છે.
નાભિના ઉપરના હિસ્સામાં તલ
સમુદ્ર શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની નાભિ ઉપરના હિસ્સામાં તલ હોય તો તેમના ઘરમાં ક્યારેય ભંડોળની અછત થતી નથી. એ તલ ધન-સંપતિનું સંકેત આપે છે અને એવા લોકો જીવનમાં ઘણા સફળ થાય છે.
નાભિની નીચે તલ
જે વ્યક્તિના શરીરમાં નાભિની નીચે તલ હોય છે તેને ઘણું શુભ માનવામાં આવે છે. એવા લોકો હાલ ભલે સાધારણ જીવન વિતાવતા હોય પણ આગળ જતાં ઘણા ધનની પ્રાપ્તિ થ શકે છે. સાથે જ એવા લોકો ઘણા ભરોસેમંદ હોય છે.
ભમર વચ્ચે તલ
સમુદ્ર શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિને બન્ને ભમર વચ્ચે તલ હોય તો, માનવામાં આવે છે કે આવા લોકોનું લગ્ન જીવન સુખી હોય છે અને આર્થિક રીતે મજબુત હોય છે.
આંગળી પર તલ
સમુદ્ર શાસ્ત્ર મુજબ, હાથની આંગળીઓ પર જુદી જુદી જગ્યાઓ પર તલ હોય ત્યારે, જો કોઈ વ્યક્તિની સૌથી નાની આંગળી પર તલ હોય તો, આવા લોકો પાસે ભરપુર સંપતિના માલીક હોય છે. જયારે કોઈ વ્યક્તિની અનામિકા આંગળી પર તલ હોય તો, આવા લોકો ધનિક અને યશ પ્રાપ્ત કરે છે. અને તર્જની આંગળી પર તલ હોય તો આ વ્યક્તિ ધનવાન હોય છે પરંતુ સાથે દુશ્મનોથી ચિંતિત હોય છે.