મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આવતીકાલે પૂરુ થઈ રહ્યું હોવાથી મનસે ચીફ રાજ ઠાકરેએ હવે મોટી ચેતવણી આપી છે.
મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકર વિવાદ વધુ ઉગ્ર બન્યો
મનસેના વડા રાજ ઠાકરેએની મોટી જાહેરાત
રાજ ઠાકરેએ કહ્યું-4 મેથી મસ્જિદો પરથી અઝાન થશે તો હનુમાન ચાલીસા પણ થશે
રાજ ઠાકરેએ 4 મે સુધી મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની આપી છે ચેતવણી
મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકરને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મનસેના વડા રાજ ઠાકરેએ મંગળવારે મોડી સાંજે જાહેરાત કરી છે કે જો આવતીકાલે એટલે કે 4 મે મસ્જિદોની બહાર અઝાન હશે તો ત્યાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે.રાજ ઠાકરેએ 4 મે સુધી મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવાની ચેતવણી આપી હતી.
મુસ્લિમોને કહો લાઉડ સ્પીકરથી કેવી તકલીફો પડે છે- ઠાકરે
રાજ ઠાકરે દ્વારા જારી કરવામાં આવેલા એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે આવતી કાલે (4 મે) તમારે તે તમામ જગ્યાઓ પર હનુમાન ચાલીસા વગાડવી જોઈએ જ્યાં લાઉડ સ્પીકર દ્વારા અઝાન કરવામાં આવે છે. તેમને (મુસ્લિમોને) કહેવું જોઈએ કે લાઉડસ્પીકરથી કેવી તકલીફો પડે છે. તેમણે કહ્યું કે લાઉડ સ્પીકર ધાર્મિક નહીં એક સામાજિક મુદ્દો છે. અમે દેશની શાંતિને ખલેલ પહોંચાડવા માંગતા નથી. અમે કોઇ રમખાણો નથી ઇચ્છતા, પરંતુ લાઉડસ્પીકર પર ધ્યાન નહીં આપવામાં આવે તો અમે પણ આ મુદ્દે અડગ રહીશું. છેલ્લે રાજ ઠાકરેએ પત્રમાં લખ્યું હતું કે, "સમાજ પ્રત્યેની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, હું તેમનું સ્વાગત કરું છું જેમણે મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકર ઉતારવાનો નિર્ણય લીધો છે. જે વિસ્તારોમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે ત્યાં આ વિસ્તારના લોકોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે.
"I appeal to all Hindus that tomorrow, the 4th of May, if you hear the loudspeakers blaring the azan; in those very places, play the Hanuman Chalisa on loudspeakers! That's when they will realise, the hindrance of these loudspeakers!" - MNS Chief Raj Thackeray pic.twitter.com/f4b8npo5e0
આ પહેલા રાજ ઠાકરે વિરુદ્ધ ઔરંગાબાદમાં એફઆઈઆર નોંધાઈ હતી. તેમના પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ લાગ્યો છે. આ ઉપરાંત મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મનસેના નેતાઓને નોટિસ આપવામાં આવી રહી છે. તેમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો સરકારી સંપત્તિને કોઇ પણ પ્રકારની ગરબડ કે નુકસાન થશે તો નુકસાનની સીધી વસૂલાત કરવામાં આવશે. આ બધાની વચ્ચે રાજ ઠાકરેની જાહેરાતથી સરકાર, પ્રશાસન અને પોલીસની મુશ્કેલીઓ વધી ગઈ છે.
મહારાષ્ટ્રમાં વકર્યો લાઉડસ્પીકર વિવાદ
રાજ ઠાકરે મહારાષ્ટ્રની મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા માગે છે આ માટે તેમણે ઉદ્ધવ સરકારને અનેક વાર ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે જો યુપીની મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવી શકાતા હોય તો પછી મહારાષ્ટ્રમાં કેમ ન હટી શકે. ઠાકરેએ 4 મે સુધી લાઉડસ્પીકર હટાવવાની ચેતવણી આપી હતી.