દેશમાં 1 એપ્રિલ 2021થી કેટલીક બેઁકની ચેકબુક અને પાસબુકને લઇને મોટા બદલાવ થવા જઇ રહ્યાં છે.
બેંકોનુ થયુ હતુ વિલીનીકરણ
7 બેંકમાં ખાતા છે તો સાવધાન
1 એપ્રિલથી ચેકબૂક અને પાસબૂક નહી ચાલે
આ તે બેંક છે જેમનુ વિલીનીકરણ 2019માં થઇ ગયુ છે અને 2020થી તે પ્રભાવી થયુ છે. આ બેંકમાં વિજયા, કોરપોરેશન, આંધ્રા, ઓરિએન્ટલ, યુનાઇટેડ અને ઇલાહાબાદ બેંક સામેલ છે.
કઇ બેંકનુ કઇ બેંકમાં થયુ વિલીનીકરણ
દેના અને વિજ્યા બેંકનુ વિલીનીકરણ બેંક ઓફ બરોડામાં થયુ છે. ઓરિએન્ટલ અને યુનાઇટેડ બેંકનુ વિલીનીકરણ પંજાબ નેશનલ બેંકમાં થયુ છે. સિંડીંકેટ બેંકનુ કેનરામાં અને આંધ્ર તેમજ કોરપોરેશન બેંકનુ યુનિયન બેંકમાં, ઇલાહાબાદ બેંકનુ ઇન્ડિયન બેંકમાં વિલીનીકરણ થયુ છે.
PNB અને બેંક ઓફ બરોડા પહેલા જ આપી ચૂક્યા છે એલર્ટ
અન્ય બેંકમાં મર્જ થયેલા બેંકોના ગ્રાહકની સંખ્યા, IFSC, MICR કોડ, બ્રાંચ એડ્રેસ ચેકબૂક, પાસબૂક વગેરે બદલાઇ જાય છે. પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા પહેલા જ કહી ચુક્યા છે કે OBC યુનાઇટેડ બેંક, વિજ્યા બેંક અને દેના બેંકની હાલની ચેકબૂક માત્ર 31 માર્ચ સુધી જ માન્ય રહશે. 1 એપ્રિલથી નવી ચેકબૂક અને પાસબૂક માન્ય રહેશે.
સિંડીકેટ બેંકના ગ્રાહકો માટે રાહત
સિંડીકેટ બેંકના કેસમાં કેનરા બેંક કહી ચૂકી છે કે હાલની ચેકબૂક અને પાસબૂક 30 જુન 2021 સુધી માન્ય રહેશે. જો તમે મર્જ થયેલી બેંકના ગ્રાહક છો તો મોબાઇલ નંબર, એડ્રેસ, નોમિની જેવી ડિટેઇલ્સ પણ અપડેટ કરાવી લેજો જેથી ભવિષ્યમાં કોઇ તકલીફ ન થાય.
આ કામ કરવુ જરૂરી
નવી ચેકબૂર, પાસબુક મળ્યા બાદ વિભિન્ન ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં રહેલ તમારી બેંકિંગ ડિટેલ્સને અપડેટ કરવાનુ ન ભૂલશો. જેમ કે મુચ્યુઅલ ફંડ, ટ્રેડિંગ અકાઉન્ટ, લાઇફ ઇન્સ્યોરન્સ પોલીસી, ઇન્કમ ટેક્સ અકાઉન્ટ, પીએફ એકાઉન્ટ વગેરે જગ્યાએ માહીતી અપડેટ કરવી જરૂરી છે.