જીવન નિર્વાહ માટે પૈસા દરેક માણસની પહેલી જરૂરત છે. પણ ઘણી વખત આપણને આવક કરતાં જાવક વધી જતી હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અનેક સમસ્યાઓના નિવારણ આપવામાં આવ્યાં છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન સંબંધી સમસ્યાઓનું કારણ મોટા ભાગે ઘરમાં જ હોય છે. પરંતુ આ કારણથી લોકો અજાણ હોય છે. જેના કારણે વ્યક્તિને સતત પડતીનો સામનો કરવો પડે છે.
અનેક પ્રયત્નો કરવા છતાં ઘરમાં આવક દેખાતી નથી અને એક પછી એક ખર્ચા થયા જ કરે છે. જો ઘરમાં વાસ્તુદોષ હોય તો વ્યક્તિ પર કરજ પણ વધતું જાય છે.
જો તમે પણ આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હોય તો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવશું જે તમને આ સમસ્યાથી રાહત આપશે.
- ઘરની અગાસી પર પક્ષીઓ માટે એક વાસણમાં પાણી અને એકમાં અનાજ રાખો. તેનાથી કરજ ઘટે છે અને ભાગ્યોદય થાય છે સાથે જ નાણાકીય સમસ્યાઓ હળવી થાય છે.
- ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખવો દરવાજા પર આસોપાલવનું તોરણ લગાવવું અને રંગોળી પણ કરવી.
- બેડરૂમની બારીમાં ક્રિસ્ટલ લગાવો. તેનાથી સકારાત્મક ઊર્જા ઘરમાં આવે છે. જે તમને સ્વસ્થ અને ઊર્જાવાન બનાવશે.
- ઘરમાં એક અરીસો એવી રીતે લગાવો જેનું પ્રતિબિંબ ઘરમાં રાખેલી તિજોરી અને ધન ઉપર પડે. તે ઘરના ખર્ચા ઓછા કરવામાં મદદગાર નિવડે છે. તેનાથી બચત વધે છે.
- જો ઘરમાં માછલી ઘર રાખવું અને તેમાં સોનેરી માછલીઓ રાખવી જે નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મક ઊર્જા વધારે છે.