વિરોધ / "સિસ્ટમમાં ખામી તો સિસ્ટમ સુધારવી જોઈએ, મોદી સરકાર તેને ઉખાડી રહી છે":રાહુલ ગાંધીનો આક્રોશ 

રાહુલ ગાંધી આજે મોદી સરકારના પસાર કરેલા ત્રણ ખેડૂત કાયદાઓ વિરુદ્ધ રેલીમાં ભાગ લેવા માટે પંજાબમાં હતા, પંજાબમાં સંગરુર અને સમાના સિટીમાં તેમણે રેલીઓ કરી હતી, જેમાં તેમણે મોદી સરકારને અડફેટે લેતા કહ્યું હતું કે જેમ સરકારે નાના વેપારીઓ અને તેમના ધંધાને ખતમ કર્યા તેમ હવે ખેડૂતો અને મજૂરોને આ ત્રણ કાયદાઓ દ્વારા ખતમ કરી રહી છે. તેમણે તો ત્યાં સુધી કહેલું કે "મોદી સરકાર આ કાયદાઓ વડે ખેડૂતોના ગળા કાપી રહી છે"

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ