રાહુલ ગાંધી આજે મોદી સરકારના પસાર કરેલા ત્રણ ખેડૂત કાયદાઓ વિરુદ્ધ રેલીમાં ભાગ લેવા માટે પંજાબમાં હતા, પંજાબમાં સંગરુર અને સમાના સિટીમાં તેમણે રેલીઓ કરી હતી, જેમાં તેમણે મોદી સરકારને અડફેટે લેતા કહ્યું હતું કે જેમ સરકારે નાના વેપારીઓ અને તેમના ધંધાને ખતમ કર્યા તેમ હવે ખેડૂતો અને મજૂરોને આ ત્રણ કાયદાઓ દ્વારા ખતમ કરી રહી છે. તેમણે તો ત્યાં સુધી કહેલું કે "મોદી સરકાર આ કાયદાઓ વડે ખેડૂતોના ગળા કાપી રહી છે"
પંજાબના સંગરુર અને સમાના સિટીમાં રેલી કાઢીને વિરોધ કર્યો
મોદી સરકાર પર ખેડૂતો અને મજૂરો ને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો
રાહુલ ગાંધી છેલ્લા અમુક દિવસથી પંજાબ ખાતે ચાલી રહેલી ખેતી બચાવો ટ્રેક્ટર રેલીમાં ભાગ લેવા પહોંચ્યા હતા, અહી તેમણે મોદી સરકાર ના પસાર કરેલા કૃષિ કાયદાઓ ને કાળા કાયદા ગણાવ્યા હતા અને તેને જો કોંગ્રેસ સત્તામાં આવે તો હટાવી દેવાની ખેડૂતોને ખાતરી આપી હતી.
#WATCH We accept that there are loopholes in the system involving mandis, PDS & MSP, it needs to be strengthened. But Narendra Modi is not doing anything to improve that system, he's destroying that system...With #FarmBills, he's killing farmers: Rahul Gandhi in Sangrur, Punjab. pic.twitter.com/GioBu4K7zJ
મોદી સરકાર ને પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું હતું કે "આ કાયદાઓને હાલમાં લાગૂ કરવાની શું જરૂર હતી? કોરોના કાળમાં આ બિલ લાવવામાં આવ્યા છે કે કારણ કે મોદી સરકાર સાંજે છે કે હાલના સમયમાં ખેડૂતો બહાર નહીં નીકળે અને આ બિલનો વિરોધ નહીં કરે, માટે આ બિલ હાલ લાગૂ કરાયા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ આ બિલનો વિરોધ કરવામાં કદી પાછી પાની નહીં કરે"
તેમણે મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે "6 વર્ષથી દિલ્હીમાં મોદી સરકાર છે, લગાતાર 6 વર્ષોથી તે ગરીબ, મજૂરો અને ખેડૂતો પર હુમલાઓ કરી રહી છે, આ સરકારની કોઈ પણ નીતિથી ગરીબ જનતાને કોઈ જ ફાયદો થયો નથી, તેમની બધી નીતિઓ માત્ર 3-4 સિલેક્ટેડ મિત્રો માટે જ છે"
छह साल से दिल्ली में नरेंद्र मोदी जी की सरकार है और छह साल से ये सरकार गरीबों, मज़दूरों, किसानों पर एक के बाद एक आक्रमण कर रही है। इनकी एक भी नीति गरीब जनता को फायदा पहुंचाने की नहीं है, इनकी सब नीति इनके 3-4 चुने हुए मित्रों के लिए बनाई जाती हैं:संगरूर(पंजाब) में राहुल गांधी pic.twitter.com/EadPdrDZSm
સાથે જ તેમણે કહ્યું હતું કે "અમે માનીએ છીએ કે સિસ્ટમમાં ખામીઓ છે, મંડી, PDS અને MSP ને મજબૂત કરવાની જરૂર છે પરંતુ મોદી સરકાર સિસ્ટમ સુધારવાની જગ્યાએ આખી સિસ્ટમનો જ નાશ કરવા ઈચ્છે છે"
I have no problem but law & order shouldn't be disrupted. If he will come with a procession from Punjab, that will not be allowed. He can do rally with the people here: Haryana CM ML Khattar on reports that Congress leader Rahul Gandhi will be visiting Haryana to meet farmers pic.twitter.com/BoVMstEmr6
આ આખા ઘટનાક્રમ વચ્ચે હરિયાણા થી એક જાણકારી મળી હતી, પંજાબમાં રેલીનો કાર્યક્રમ પતાવીને રાહુલ ગાંધી હરિયાણા ખાતે પણ ઓકટોબર 6 અને 7 ના રોજ આ કાયદાઓનો વિરોધ કાર્યક્રમ કરવાના હતા, ત્યારે હરિયાણાના મંત્રી અનિલ વિજે તેમને હરિયાણામાં પ્રવેશવા ન દેવાની ધમકી આપી હતી, જો કે તેઓ હવે કૂણાં પડ્યા હતા, અને મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું હતું કે માંણે કોઈ પ્રોબ્લેમ નથી જો તે અહિયાં આવે પરંતુ કાયદો અને વ્યવસ્થા બગડવી ન જોઈએ. તેઓ પંજાબ નહીં પરંતુ અહીંના ખેડૂતો સાથે વિરોધ કરી શકશે.
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એ આજે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ ટ્રેક્ટર પર બેસવા માટે સોફાનો ઉપયોગ કરે તે VIP ખેડૂત છે, તે ક્યારેય એવા નિર્ણય કે સિસ્ટમ નું સમર્થન નહીં કરે જે નાના અને ગરીબ ખેડૂતો ને વચેટિયા થી મુક્ત કરાવતી હોય"