મોદી સરકાર કર્મચારીઓ માટે નવા નવા કાયદા લાવતી રહે છે. ત્યારે હાલમાં જ નવા શ્રમ કાયદા હેઠળ કર્મચારીઓ માટે જરૂરી સુવિધા શરૂ કરવા માટે નિયમ બનાવવામાં આવ્યો છે.
100થી વધારે કર્મચારી ધરાવતી કંપનીમાં ફેરફાર
નવા કાયદા અનુસાર ઓવરટાઇમના નિયમમાં ફેરફાર
મોદી સરકારે કેટલાક નિયમોને કર્યા ફરજીયાત
જે કંપનીમાં 100થી વધારે કર્મચારીઓ હોય તે કંપનીમાં કેન્ટીન હોવી જરૂરી છે. સરકારે આ યોજનાને અમલમાં લાવવા માટે કહ્યું છે. 1 એપ્રિલથી આ નિયમ સમગ્ર દેશમાં લાગૂ થવાની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે.
2020માં કેન્દ્ર સરકારે વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી સંહિતાના સંદર્ભમાં કેટલીક જોગવાઇઓ બહાર પાડી હતી. તેમાં ચર્ચા કર્યા બાદ નવા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 100થી વધુ કર્મચારીઓવાળી કંપનીમાં ફરજીયાતપણે કેન્ટીન રાખવી જ પડશે.
જે કંપનીમાં કર્મચારીઓ એગ્રીમેન્ટ પર કામ કરતા હશે તેમને પણ તે 100 કર્મચારીઓમાં ગણવામાં આવશે. સરકારી યોજનાનો લાભ પરમેનન્ટ અને થર્ડપાર્ટી એમ્પલોય દરેકને મળશે. તે સિવાય પરપ્રાંતિય મજૂરોને ધ્યાનમાં રાખીને પણ આ નિયમો લાગૂ કરવામાં આવશે. જો કંપની તેમને કોઇ સાઇટ પર કામ કરવા મોકલે છે અને કામ પૂર્ણ થયા બાદ ઘરે મોકલે છે તો તેની વ્યવસ્થા અને ભથ્થુ આપવાની જવાબદારી પણ જે તે કંપનીની રહેશે.
ઓવરટાઇમના નિયમોમાં ફેરફાર
કેટલીક કંપનીના કર્મચારીઓ ઓવરટાઇમ કરતા હોય છે તેમ છતાં તેને ગણતરીમાં લેવામાં આવતુ નથી. નવા નિયમો અનુસાર કામના કલાકો કરતા 15 મિનીટથી વધુ કામ કરવામાં આવે છે તો તેને ઓવરટાઇમ જ ગણવામાં આવશે. પહેલા અડધો કલાક કરતા વધારે સમય હોય તો જ તેને ઓવરટાઇમ ગણવામાં આવતો હતો પરંતુ નવા નિયમો અનુસાર 15 મિનીટથી વધારે સમય કામ કરો તો તેને ઓવરટાઇ તરીકે જ માન્ય રાખવામાં આવશે. તે સિવાય જે તે કંપની તેના કર્મચારીઓને 5 કલાકે અડધો કલાકનો સમય બ્રેક આપવી જ પડશે. બ્રેકનો સમય પણ ઓવરટાઇમમાં ઉમેરવામાં આવશે.