રાજ્ય સરકારે, લગ્નવાળા પરિવારને મોટી રાહત આપતા પ્રસંગમાં 400 લોકો માટે મંજૂરી આપી છે. હોટેલ-રેસ્ટોરંટ ઉઘ્યોગને 75 ટકા બેઠક વ્યવસ્થા સાથે છૂટ આપવામાં આવી છે.
કમૂરતા ઉતરતા જ લગ્નગાળો શરુ
લગ્નગાળાનું પણ સરકારે ધ્યાન રાખ્યું
400ની ક્ષમતા સાથે પ્રસંગ કરી શકાશે
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. કેટલાક નિયંત્રણો વચ્ચે પણ સરકારે અમુક એવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નીતિ-નિયમો હળવાશ ભર્યા રાખ્યા છે.ખાસ કરી ને રાજ્યના એવા નાગરીકો જેઓ કમુરતા ઉતરતા જ લગનની સિઝનમાં જોતરાઈ જશે. પછી તે હોટેલ-રેસટોરંટ વ્યવસાય હોય કે ફરાસ ખાના કે પછી એવા પરિવારો જેઓનાં ઘર/પરિવારમાં શરણાઈના સૂર વાગવાના છે. રાજ્ય સરકારે, લગ્નવાળા પરિવારને મોટી રાહત આપતા પ્રસંગમાં 400 લોકો માટે મંજૂરી આપી છે. જો કે લગ્હોન માટે on લાઈન નોંધણી પણ કરાવવી આ ઉપરાંત લગ્નપ્રસંગ માટે અગાઉથી ગુજરાત સરકારને જાણ કરવા માટે ઓનલાઈન નોંધણી પણ કરાવવી પડશે. આ માટે https://www.digitalgujarat.gov.in/ પર જઈને નોંધણી કરાવવી પડશે.
ઉપરાંત હોટેલ-રેસ્ટોરંટ ઉઘ્યોગને 75 ટકા બેઠક વ્યવસ્થા સાથે છૂટ આપવામાં આવી છે. 31 જાન્યુઆરી સુધી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ રાજ્યના મહાનગરોમાં રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે.એટલે હોટેલ- રેસ્ટોરંટ પણ માત્ર 10 વાગ્યા સુધીં જ ખુલ્લા રહેશે.
સરકારની નવી ગાઈડ લાઈન
ગુજરાતમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ સુધી રાજ્યમાં રાત્રે 11 થી 5 સુધીનો રાત્રી કર્ફ્યૂ અમલી હતો જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.રેસ્ટોરન્ટ 75% ક્ષમતા રાખી જ ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્ય ભરની શાળાઓમાં ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાનો મોટો નિર્ણય કરવામા આવ્યો છે.
રાત્રી કર્ફ્યું
અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર,
ગાંધીનગર શહેર સહિત આણંદ શહેર અને નડીયાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.
75 ટકાની બેઠક ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી સેવાઓ 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
કાર્યક્રમો
રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકો ખુલ્લા સ્થળે, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકાશે.
લગ્ન પ્રસંગ
ખુલ્લામાં મહત્તમ 400 લોકો, પરંતુ બંધ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 400 લોકો) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.