પર્સનલ લોનના કિસ્સામાં બેંક કાનૂની ઉતરાધિકારી અથવા તો લોન લેનાર પરિવારના હયાત સભ્યોને બાકી રકમ ચૂકવવા માટે ન કહી શકે.
પર્સનલ લોનના કિસ્સામાં બેંક લોન લેનાર પરિવાર પાસે પૈસા ન માંગી શકે
પર્સનલ લોનની વસૂલાત માટે બેંક લોન લેનારની કોઈપણ મિલકત જપ્ત ન કરી શકે
હોમ લોનના કિસ્સામાં શું કરે છે બેંક
આજકલ દરેક નાની-મોટી જરૂરિયાતો માટે લોન લેવી એ સામાન્ય વાત બની ગઈ છે. અને લોન લેનાર દરેક વ્યક્તિ જાણે છે કે જો નિર્ધારિત સમયગાળામાં લોનની ચુકવણી ન કરવામાં આવે તો ધિરાણ આપનાર બેંક અથવા નાણાકીય સંસ્થા લોન લેનાર સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે અને લોન લેનાર લોનની ચૂકવણી કરતા પહેલા મૃત્યુ પામે છે તો બેંક એમને ગેરેન્ટર કે કાનૂની ઉતરાધિકારી પાસેથી લોનની રકમ વસૂલ કરે છે. જો કે અહિયાં એ વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે લોનના પ્રકાર અને એના બદલે ગીરવે રાખેલ વસ્તુ પર આ વાત નિર્ભર કરે છે.
પર્સનલ લોનના કિસ્સામાં કોણ લોન ચૂકવે?
એક રીતે અસુરક્ષિત લોન તરીકે ઓળખાતી પર્સનલ લોનના કિસ્સામાં બેંક કાનૂની ઉતરાધિકારી અથવા તો લોન લેનાર પરિવારના હયાત સભ્યોને બાકી રકમ ચૂકવવા માટે ન કહી શકે. આપણે બધા જાણીએ જ છીએ કે આવી લોનમાં કોઈ ગેરેન્ટર હોતો નથી અને કોઈ પણ મિલકત ગીરવે મૂકી હોતી નથી. એટલા માટે બેંક વસૂલાત માટે લોન લેનારની કોઈપણ મિલકત જપ્ત કરી ન કરી શકે કે વહેંચી પણ ન શકે. બાકી રહેલી રકમ અંતે બેંક દ્વારા NPA ખાતામાં ઉમેરવામાં આવે છે.
પણ જો લોનમાં કોઈ સહ-અરજદાર હોય તો લોન લેનારના મૃત્યુ પછી બેંક તે વ્યક્તિને લોનની જવાબદારી ટ્રાન્સફર કરી શકે છે. જણાવી દઈએ કે પર્સનલ લોન સહિત ક્રેડિટ કાર્ડ ડેટ અને અન્ય અસુરક્ષિત લોન પર પણ આ જ નિયમ લાગુ પડે છે.
અસુરક્ષિત લોન માટે વીમો
જો કે હાલમાં લગભગ દરેક અસુરક્ષિત લોન લેનાર વીમો પણ ધરાવે છે અને એ વીમો લોનની આખી રકમને આવરી લે છે અને સાથે જ એ વીમો લોનની સંપૂર્ણ ચુકવણી સમયગાળા માટે માન્ય પણ રહે છે. જો લોન લેનારની મૃત્યુ થાય છે તો લોનની બાકી રકમ આ વીમા દ્વારા વસૂલ કરવામાં આવે છે અને સામાન્ય રીતે આ પ્રકારના વીમા માટેનું પ્રીમિયમ લોન લેનાર દ્વારા જ ચૂકવાતું હોય છે.
હોમ લોનના કિસ્સામાં શું કરે છે બેંક
હોમ લોનના કિસ્સામાં જો લોનની ચુકવણી પહેલા લોન લેનાર મૃત્યુ પામે છે તો બેંક સામાન્ય રીતે લોનમાં સહ-અરજદાર પાસે તેની ચુકવણી કરાવે છે અને જો લોન ચૂકવી શકતા નથી તો બેંક લેનારના પરિવારના સભ્યો, કાનૂની ઉતરાધિકારી અને બાંયધરી આપનારનો સંપર્ક કરે છે. જો તેમાંથી કોઈ પણ હોમ લોન ચૂકવવાની જવાબદારી નથી સ્વીકારતું તો બેંક મિલકત જપ્ત કરીને અને લોનની વસૂલાત માટે એ મિલકતને વહેંચવા કાઢે છે.