પહેલાથી ખાતરી કરી લો કે તમારું PAN કાર્ડ કામ કરી રહ્યું છે કે નહીં. જો તમારું PAN કાર્ડ કામ કરતું નથી તો તમને ઘણું નુકસાન થઈ શકે છે.
PAN કાર્ડ રદ અથવા નિષ્ક્રિય થઈ જાય તો શું કરવું?
સરકાર બે કેસમાં તમારું પાન કાર્ડ રદ કરી શકે છે
જો તમારી પાસે બે PAN કાર્ડ છે તો સરેન્ડર કરી દો
સિમ કાર્ડથી લઈને કાર ખરીદવા સુધી તમારે એક વસ્તુની જરૂર છે અને તે છે દસ્તાવેજ. આજના સમયમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી કાર્ડ જેવા અનેક પ્રકારના દસ્તાવેજો જરૂરી છે. એ જ રીતે પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PAN કાર્ડ પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમે ઈચ્છો છો કે તમારું કોઈ પણ સરકારી કે બિનસરકારી કામ ન અટકે તો તેના માટે તમારે તમારી પાસે જરૂરી દસ્તાવેજ રાખવા જરૂરી છે. બેંક ખાતું ખોલાવવા, CIBIL સ્કોર ચેક કરવા, લોન લેવા, PFનું કામ કરવા વગેરે માટે તમારી સાથે PAN કાર્ડ હોવું જરૂરી છે. ઘણી વખત એવું બને છે કે તમારું PAN કાર્ડ રદ અથવા નિષ્ક્રિય થઈ જાય તો શું? તમને જણાવી દઈએ કે સરકાર બે કેસમાં તમારું પાન કાર્ડ રદ કરી શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે પહેલાથી ખાતરી કરી લો કે તમારું PAN કાર્ડ કામ કરી રહ્યું છે કે નહીં. જો તમારું PAN કાર્ડ કામ કરતું નથી તો તમને ઘણું નુકસાન થઈ શકે છે.
જેમને તેમના PAN કાર્ડને આધાર નંબર સાથે લિંક નથી કરાવ્યું એમનું PAN કાર્ડ રદ કરવામાં આવશે. આ સાથે જ જેમની પાસે એકથી વધુ PAN કાર્ડ છે એમનું પણ PAN કાર્ડ પણ રદ કરવામાં આવશે. એક વ્યક્તિના નામે 2 PAN કાર્ડ બનાવવું પણ કાયદાકીય રીતે ખોટું છે. જણાવી દઈએ કે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272B મુજબ આવું કરનાર વ્યક્તિ પર 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે.
PAN-આધાર લિંક કરવું જરૂરી છે
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે એટલા માટે જો તમે હજુ સુધી તમારા PAN કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને 30 જૂન પછી PAN કાર્ડને નિષ્ક્રિય કેટેગરીમાં પણ મૂકી શકાય છે. આ અંગે સરકાર પહેલાથી જ ચેતવણી આપી ચૂકી છે.
જો તમારી પાસે બે PAN કાર્ડ છે તો સરેન્ડર કરી દો
જો તમારા નામે બે PAN કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે તો આમાંથી એક કાર્ડ સરેન્ડર કરવું જરૂરી છે અને જો આવું ન કરવામાં આવે તો બંને PAN કાર્ડ બંધ થઈ જશે. આ પછી તમે કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડમાં મુશ્કેલીમાં મુકાઈ શકો છો. એ સિવાય આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં સમસ્યા પણ આવી શકે છે.
આ રીતે ચેક કરો PAN સ્ટેટસ
તમારું પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં તે ઘરે બેસીને જાણી શકાય છે. જો કે એ ચેક કરવા માટે આવકવેરા વિભાગની ઓનલાઈન પ્રોસેસ છે, જે ખૂબ જ સહેલી છે. આવકવેરા વિભાગની વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર જઈને Know Your PAN નામના વિકલ્પ પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરો અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો, એ પછી OTP આવશે જેને સબમિટ કર્યા પછી આ પછી તમારો PAN નંબર, નામ, નાગરિક, વોર્ડ નંબર અને રિમાર્ક તમારી સામે આવશે. રિમાર્કમાં લખવામાં આવશે કે તમારું PAN કાર્ડ એક્ટિવ છે કે નહીં.