વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક તરછોડશે તો ગુનો દાખલ થશે. જેમાં 3 મહિનાની કેદ અથવા રૂ.500 દંડ અથવા બંને કરાશે.
વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક તરછોડશે તો ગુનો દાખલ થશે
3 મહિનાની કેદ અથવા રૂ.500 દંડ અથવા બંને કરાશે
ભરણપોષણનો દાવો કરવા પોલીસ કરશે મદદ
રાજ્યમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને લઇ DGPએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક તરછોડશે તો ગુનો દાખલ થશે. જેમાં 3 મહિનાની કેદ અથવા રૂ.500 દંડ અથવા બંને કરાશે. અને ભરણપોષણનો દાવો કરવા પોલીસ મદદ કરશે. વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી DGPએ આ નિર્ણય લીધો છે. અને અપનાપન યોજનાની વ્યવસ્થાનો અમલ કરવા સૂચના અપાઇ છે.
યોજનાને લઇ દરેક પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ નાગરિકોની યાદી તૈયાર કરાશે. અને વરિષ્ઠ નાગરિકોના પડોશીની પણ યાદી તૈયાર કરાશે. અને રોજિંદા વ્યવહાર સાથે સંકળાયેલા તમામ લોકોની યાદી પણ તૈયાર કરાશે. સાથે જ વરિષ્ઠ નાગરિકોને જીવન જરૂરી ચીજો લાવવા માટે પોલીસ મદદ કરશે. અને સાયબર ક્રાઈમના ગુનાથી બચવા માટે પોલીસ માર્ગદર્શન આપશે.