જો તમારો મોબાઈલ ચાલતી ટ્રેનમાંથી બહાર પડી જાય તો તમે શું કરશો?
ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ નીચે પડી જાય તો શું કરશો?
જાણો કઈ રીતે પરત લેશો મોબાઈલ
આ એક નંબર રાખો યાદ
ભારતીય રેલ (Indian Railways) નેટવર્ક દુનિયામાં ચોથા નંબર પર છે. લોકો લાંબા સફરે જવા માટે ટ્રેનમાં જવાનું પસંદ કરે છે. એવામાં ટ્રેનમાં સમય પસાર કરવા માટે લોકો મોટાભાગે પોતામા મોબાઈનો ઉપયોગ કરે છે. જો તમારો ફોન ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જાય તો તમે શું કરશો? મોટાભાગના લોકો આવી સ્થિતિમાં અફસોસ કરીને ટ્રેનમાં બેસી રહે છે અથવા તો ટ્રેનની ઈમરજન્સી ચેઈન ખેંચી લે છે.
આ રીતે પરત લઈ શકો છો મોબાઈલ
ટ્રેનમાં સફર કરતી વખતે તમારો મોબાઈલ અચાનક નીચે પડી જાય તો સૌથી પહેલા તમારે રેલવે ટ્રેકના કિનારે લાગેલા પોલ પર લખેલા નંબર અથવા સાઈડ ટ્રેકના નંબરને નોટ કરી લેવો જોઈએ. અથવા તો તરત જ કોઈ અન્ય યાત્રીના ફોનની મદદથી આરપીએફ અને 182 નંબર પર સુચના આપવી જોઈએ. તમારે તેમને સુચના આપીને કહેવું જોઈએ કે તમારો ફોન પોલ કોઈ પોલ અથવા ટ્રેક નંબરની પાસે પડી ગયો છે.
આ જાણકારી બાદ રેલવે પોલીસને તમારો ફોન શોધવામાં સરળતા રહેશે અને તમારો ફોન મળવાની સંભાવના વધી જશે કારણ કે પોલીસ તરત તે જ જગ્યા પર પહોંચીને તપાસ કરશે. ત્યાર બાદ તમે રેલવે પોલીસને સંપર્ક કરી કાયદાકીય પ્રક્રિયા પુરી કર્યા બાદ પોતાનો મોબાઈલ લઈ શકો છો.
આ નંબરોથી માંગી શકો છો હેલ્પ
રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે R.P.Fનો ઓનલાઈન ઈન્ડિયા સિક્યોરિટીની હેલ્પલાઈન નંબર છે. 182ને તમે ગમે ત્યારે ડાયલ કરી શોકો છો અને મદદ માંગી શકો છો. આવું જ G.R.Pની હેલ્પલાઈન નંબર છે. 1512થી પણ ડાયલ કરીને સિક્યોરિટીની માંગ કરી શકાય છે. રેલ પેસેન્જર હેલ્પ લાઈન નંબર 138 છે. રેલ યાત્રા વખતે કોઈ પણ પરેશાની સ્થિતિમાં આ નંબર ડાયલ કરીને મદદ માંગી શકાય છે.