ગુરુવારે, ભારતીય ખેડૂત સંઘ દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ગાજીપુર સરહદ પર આ મુદ્દાનું નિરાકરણ લાવવા ખાપ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂત આંદોલનની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. પંચાયત બાદ ખેડૂતો એ બે મિનિટનું મૌન ધારણ કરીને સિંઘુ બોર્ડર પર આત્મહત્યા કરનાર સંત રામસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.
કૃષિ કાયદા મુદ્દે ખેડૂત નેતાની સરકારને સલાહ
સરકાર બે ડગલાં પાછા ભારે તો બે ડગલાં અમે પાછળ થઈશું : BKU નેતા
ખાપ ચૌધરીઓની મહાપંચાયતે ખેડૂત આંદોલનની તરફેણ કરી
ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ ચૌધરી નરેશ ટીકૈતે કહ્યું હતું કે કૃષિ કાયદા અંગે સમાધાન શોધવા માટે જો સરકાર બે કદમ પાછળ ખસ્વા તૈયાર હોય તો બે ડગલાં અમે પણ પાછળ ભરવા તૈયાર છીએ. છેલ્લા 22 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે તે હવે ખેડૂતો ની ઇજ્જતનું પ્રશ્ન બની ગયું છે. આજે ખેડૂતો પોતાના આંદોલન માટે કોઈપણ પ્રકારનો બલિદાન આપવા તૈયાર છે. સરકાર ખેડૂતો માં ફૂત પડાવવાનું કાવતરું કરી રહી છે, પરંતુ તે તેના હેતુમાં કદી સફળ નહીં થાય.
સરકાર બે ડગલાં પાછા ભરે : નરેશ ટીકૈત
કિસાન સંઘના પ્રવક્તા રાર્કેશ ટીકૈતે જણાવ્યું હતું કે ગુરુવારે 84 ખાપ ચૌધરીઓને મહાપંચાયતમાં ભાગ લેવા આમંત્રણ અપાયું હતું, પરંતુ મોટાભાગનાને અહીં આવવા દેવામાં આવ્યા ન હતા. પોલીસે મોટાભાગના લોકોને તેમના વિસ્તારમાં અટકાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશથી રચાયેલી કમિટીમાં તે ત્રણ કાયદાને રદ કરવાની પણ માંગ કરશે. ખાપ મહાપંચાયતમાં આવેલા ચૌધરીયોએ આંદોલનને પૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું.
BKU પ્રમુખ અને બાલ્યાન ખાપના ચૌધરી નરેશ ટીકૈતે કહ્યું હતું કે તેઓ માનતા હતા કે આંદોલન ચાર પાંચ દિવસ ચાલશે અને સરકાર સંમત થઈ જશે, પરંતુ સરકારની જિદના લીધે આજે 22 દિવસ થયા છે. ખેડૂતો કડકડતી ઠંડી વચ્ચે ખુલ્લા આકાશની નીચે ઊભા છે. ખેડૂત દેશને બચાવવા માટે યુદ્ધ લડી રહ્યો છે. આજે આંદોલનકારી ખેડૂતો ને આતંકવાદી અને ખાલિસ્તાની ગણાવી રહ્યા છે, આ એકદમ ખોટું છે. ખેડૂત ન તો આતંકવાદી છે કે ન ખાલિસ્તાની છે.
સરકારની નીતિઓને લીધે દેશ ફરીથી ઉપનિવેશ બની જશે: ખાપ નેતાઓ
ખાપ પંચાયતના અગ્રણીઓ એ કહ્યું કે સરકારની નીતિઓને કારણે દેશ હવે ફરીથી ઉપનિવેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આંદોલનને બદનામ કરવા સરકારનો આક્ષેપ છે કે આ ટુકડે ટુકડે ગેંગ આંદોલન સાથે જોડાયેલ છે. ખેડૂત સરકારને કહેવા માંગે છે કે અહીં કોઈ ટુકડાની ગેંગ નથી. અમે ત્યાં સુધી પાછા નહીં હઠીએ, જ્યાં સુધી સરકાર કાયદાઓ રદ્દ ન કરે.