ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર ખેડૂતો દ્વારા અપાયેલા 15 માંથી 12 સંશોધનો પર સમંત થાય છે, તો તેનો અર્થ એ છે કે કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ કારણ કે તેમાં કોઈ ખામી છે.
સરકાર અમારી 15માંથી 12 માંગણીઓ સ્વીકારે છે તો કાયદો રદ્દ શું કામ નથી કરતી ?
ખેડૂત નેતા રાકેશ ટિકૈત એ આપ્યું નિવેદન
અમે MSP પર કાયદાની માંગણી કરી હતી : ખેડૂત નેતા
કૃષિ કાયદાના સમર્થનમાં, કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે પત્રકાર પરિષદને સંબોધતા જનવાયું હતું કે, "ખેડૂતો ના ડર પાછળ કોઈ કારણ નથી. સરકારે કાયદામાં જે જોગવાઈઓ મૂકી છે તે ખેડૂતને સમૃધ્ધ બનાવશે. કોઈ પણ ખેડૂતો ની જમીન પર કબજો કરી શકશે નહીં, પરંતુ ખેડૂતો નું કહેવું છે કે તેઓ આ કાયદાઓને રદ્દ કરાવીને જ જંપશે, તેનાથી ઓછું કશું જ તેમણે નથી જોઈતું. આ બાબતે 12 થી 14 ડિસેમ્બર સુધી દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેની સાથે રેલ્વે ટ્રેક પણ બંધ કરવામાં આવશે.
15 માંથી 12 સુધારા પર સંમતિ એટલે ખરાબ બિલ
ભારતીય કિસાન સંઘના રાકેશ ટિકૈતે કૃષિ કાયદાના મુદ્દે એક અલગ દલીલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે જો કેન્દ્ર 15 માંથી અમારી 12 માંગણીઓ માટે સંમત થઈ રહ્યું છે, તો તેનો અર્થ એ છે કે પાસ કરેલા બિલ યોગ્ય નથી, તો પછી શા માટે તેનો નાશ ન કરવો જોઇએ. અમે MSP પર કાયદાની માંગ કરી હતી પરંતુ તેઓ વટહુકમ દ્વારા 3 બિલ લાવ્યા હતા. અમે અમારો વિરોધ શાંતિપૂર્ણ રીતે કરતાં રહીશું.
કેન્દ્ર સરકાર કાયદા મુદ્દે અડગ છે
શિરોમણિ અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ એ કહ્યું હતું કે અમે કાળા કાયદા પાછા ન લેવાના કેન્દ્ર સરકારના સ્ટેન્ડની સખત નિંદા કરીએ છીએ. ગુરુવારે કેન્દ્ર દ્વારા કરેલી પ્રેસ કોન્ફરન્સથી સાબિત થાય છે કે તેઓએ દેશના 'અન્નદાતા' સામે લડવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું હતું કે સરકારે જે રીતે જિદ્દી વલણ અપનાવ્યું છે તે સ્પષ્ટ છે કે તેઓ જે કહે છે અને કરે છે તેનામાં તફાવત છે.