દિલ્લી એમ્સમાં વરિષ્ઠ મહામારી વૈજ્ઞાનિક ડો. સંજય રાયે કહ્યું કે, પહેલેથી જ આમાં 1 હજારથી વધુ બદલાવ આવી ચુક્યા છે.જો કે, પાંચ એવા વેરીયંટ એવા સામે આવ્યા છે .જે ચિંતાનું કારણ
કોરોના વેરીયંટમાં 1 હજાર જેટલા બદલાવ
પાંચ વેરીયંટ હજુ પણ ચિંતાનો વિષય
ફરજીયાત માસ્ક માંથી સરકાર આપી શકે છે છૂટ
ચીન અને દક્ષિણ કોરિયા સહીત યુરોપના કેટલાય દેશોમાં કોરોના વાયરસનાં નવા કેસમાં ફરીથી વધારો થયો છે. આ પરિણામે ભારતમાં પણ ચિંતા વ્યક્ત થઇ રહી છે. હવે આ જ મુદ્દે દિલ્હી એમ્સ એ મોટી વાત કહી છે
કોરોના વાયરસ થયા છે 1 હજાર બદલાવ
દિલ્લી એમ્સમાં વરિષ્ઠ મહામારી વૈજ્ઞાનિક ડો. સંજય રાયે કહ્યું કે, સાર્સ -COV-2(કોરોના વાયરસ )એક RNA વાયરસ છે.તેના વેરીયંટ માં બદલાવ થવો નક્કી છે. તેઓએ કહ્યું કે, પહેલેથી જ આમાં 1 હજારથી વધુ બદલાવ આવી ચુક્યા છે.જો કે, પાંચ એવા વેરીયંટ એવા સામે આવ્યા છે .જે ચિંતાનું કારણ બન્યા છે.
ડો. સંજય રાયે કહ્યું કે, ભારતે ગત વર્ષે કોરોના ની બેહદ વિનાશકારી લહેર નો સામનો કર્યો છે . જે બેહદ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું. જો કે, હવે કોરોના વેક્સિનેશન થવાના કારણે નાગરિકોમાં ઈમ્યુંનીટી બની છે. આ સાથે જ ભારતીયોમાં બનેલા પ્રાકૃતિક સંક્રમણ પણ મોટી તાકાત છે . જે લોકોને લાંબા સમય માટે શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે છે. ભવિષ્યની વાત કરીએ તો કોરોનાની કોઈ પણ લહેરની ગંભર અસર પડવાની સંભાવનાઓ ઓછી છે.
માસ્કમાં છૂટ છાટ આપવા પર વિચાર કરી શકે છે સરકાર
તેઓએ કહ્યું કે, આ એક એવો સમય છે જ્યારે ભારત સરકાર ફરજીયાત પણે માસ્ક પર ઢીલ આપવાની નીતિ પર વિચાર કરી શકે છે. જો કે, સીનીયર સીટીઝન અને સંક્રમણની ચપેટમાં આવનારા સંદિગ્ધ લોકોએ તકેદારીના ભાગરૂપ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ.
ડો સંજય રાયે ભાર પૂર્વક કહ્યું કે, ભવિષ્યમાં કોરોના વાયરસનાં કોઈ પણ નવા વેરીયંટનાં સામે આવવાની આશંકાઓને જોતા સરકાર જીનોમિક સીક્રેસ સહીત સારસ -COV પર નજર ચાલુ રાખવી જોઈએ.
ભારતમાં વધુ આક્રમક નહિ થાય કોરોના
વધુ એક વૈજ્ઞાનિક ડો.ચંદ્રકાંત લહરિયા એ કહ્યું કે, જો ભારતમાં કોરોના વાયરસનો કોઈ નવો વેરીયંટ સામે આવે તો પણ ભારતમાં સંક્રમીતોની સંખ્યામાં વધારો થવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે ,જો આપણે સિરો સર્વેક્ષણનાં આંકડાઓ,રસીકરણ કવરેજ અને વાયરસના ઓમિક્રોન વેરીયંટનાં પ્રસારનાં ડેટાને જોઈએ તો એવા નિષ્કર્ષ પર પહોચી શકાય કે કોરોના મહામારી ભારતમાં સમાપ્ત થઇ ગઈ છે.એવામાં ભારતમાં આગામી મહિનાઓ સુધી કોઈ નવી લહેર અને કોરોના વેરીયંટનાં સામે આવવાની આશંકાઓ બેહદ ઓછી છે,આ એક એવો સમય છે જ્યારે મોટાભાગની વસતીને ફરજીયાત માસ્ક પહેરવાના નિયમમાંથી છૂટ આપી શકાય છે