અમદાવાદ નિત્યાનંદ આશ્રમ અને DPSની સાંઠગાંઠનો વધું એક પુરાવો પોલીસની સામે આવ્યો છે. જેને લઈને DPSની સાંઠગાઠ ખુલ્લી પડી છે. DEO પણ DPS સામે કડકાઈથી તપાસ કરી રહ્યાં છે. DEOએ આશ્રમના ભાડા કરારના દસ્તાવેજો માંગ્યા છે. જોકે સ્કુલે હજુ સુધી આપ્યાં નથી. જો સ્કુલ દસ્તાવેજોનહીં આપે તો DEO આ પગલા ભરવાની તૈયારી કરી રહ્યાં છે.
DEOએ કહ્યું સ્કુલ આશ્રમ સાથેના ભાડા કરાર રજુ નહી કરે તો નોટીસ ફટકારીશું.
3 વિદ્યાર્થીઓનાં એડમિશન કેમ રદ કરાયા
DPSનાં કમ્પાઉન્ડ અને આશ્રમ વચ્ચે કોઈ દિવાલ નથી. DPS દ્વારા જમીન આશ્રમને ભાડે આપવાની વાત કરતા શિક્ષણ વિભાગ તથા ઈમિગ્રેશન વિભાગે તેમની સામે કાર્યવાહી હાથ ધરી પુરાવા માંગ્યાં હતા. તેમજ વિદેશમાં કેટલાં લોકોને મોકલવામાં આવ્યાં છે. તે અંગે પણ DEOએ તેમની સામે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્કુલ સાથે જોડાયેલા તમામ લોકોની પુછપરછ કરવામાં આવી છે. તેમજ સ્કુલે 24 માંથી 3 બાળકોનું એડમિશન રદ કર્યું હતું. જેથી 3 બાળકોના એડમિશન કેમ રદ કરાયા તે અંગે પણ DEO તપાસ કરશે.
DEOએ કહ્યું સ્કુલ આશ્રમ સાથેના ભાડા કરાર રજુ નહી કરે તો નોટીસ ફટકારીશું.
આશ્રમ અને સ્કુલનાં પ્લે ગ્રાઉન્ડ વચ્ચે કોઈ દિવાલ નથી. તેમજ DEOએ તેમની પાસે ભાડાનાં કરારનાં દસ્તાવેજો માંગ્યા છે. જોકે હજુ સુધી તેમણે દસ્તાવેજો આપ્યાં નથી. જો DPS નાં સંચાલકો દસ્તાવેજો નહીં આપે તો તેમને નોટીસ ફટકારવામાં આવશે. DEO દ્વારા આ સ્કૂલ કેમ્પસમાં જ આશ્રમ ચાલતો હોવાનું માનીને CBSEને રિપોર્ટ કરી દેવામાં આવશે.
DPS નાં બસ પાર્કિંગમાં સ્કુલ બસની સાથે સાથે નિત્યાનંદ આશ્રમની બસો સંતાડવામાં આવેલી નજરે પડી હતી. જેને લઈને પણ DPSનું આશ્રમ કનેક્શન હોવાની વાતને મજબુત બળ મળી રહ્યું છે. તો બીજી તરફ જે સોસાયટીમાં આશ્રમની સાધ્વીઓ રહે છે. તેના CCTVમાં DPSની બસ સાધ્વીઓને લેવા જતી હોય તેમ નજરે પડ્યું હતું. CCTVમાં એક DPSની એક મકાન પાસે ઉભી રહે છે જેમાં એક સાધ્વી 2 બાળાઓ સાથે બસમાં બેસતી કેદ થઈ હતી.
નિત્યાનંદિતાની વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે
આ ઉપરાંત નિત્યાનંદ આશ્રમમાં વિવાદ મામલે હવે SITની ટીમ નિત્યાનંદ આશ્રમ પહોંચી છે. બાળકોની પૂછપરછ માટે ફરી SITની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ ગતિવિધિઓને લઈ હાલ તપાસ ચાલું છે. અને પુષ્પક સિટીમાં નિત્યાનંદિતાની વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે.
DPSએ FRCમાં રજુ કરેલા દસ્તાવેજોમાં ભાડા કરાર નહીં
DPSની હિરાપુર કેમ્પસ પાસે રહેલા નિત્યાનંદ આશ્રમની જમીન મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. ત્યારે આ આશ્રમની જગ્યા કેલોરેક્સ ફાઉન્ડેશને ભાડા પર આપી છે. જોકે DPS એ FRCને રજુ કરેલા દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને FRCએ કહેલા ફાઈનલ ઓર્ડરમાં કોઈ પણ જગ્યાએ આશ્રમની જગ્યાનો ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નથી. DEOનાં અધિકારીઓનાં જણાવ્યાનું સારા સ્કુલના સંચાલકોએ તપાસમાં યોગ્ય સહયોગ આપ્યો નથી. તેમજ ભાડા કરાર પણ રજુ કરી શક્યા નથી.
કોંગ્રેસનો આક્ષેપ, સ્કુલને સરકારનું પીઠબળ છે
DPS અને નિત્યાનંદ મામલે કોંગ્રેસે નિવેદન આપ્યું છે કે આશ્રમ સંચાલકો હજીપણ કંઈ કહેવા તૈયાર નથી. શું શાળા ચલાવતા લોકો નફાખોરી કરે છે કે તેમને CSR કરવું પડે. અંધશ્રદ્ધા ફેલાવતા તત્વો સામે ગુનો નોંધાવો જોઈએ. આશ્રમનાં બાળકોને DPSનાં સર્ટિફિકેટ આપવામાં આવે છે કે કેમ તેની તપાસ પણ થવી જોઈએ. આ સાથે કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે DPSને સરકારનું પીઠબળ છે. DPS સર્ટિફિકેટ અને આશ્રમ સાથેની સાંઠગાંઠ અંગે શિક્ષણ વિભાગ જવાબ આપે.
આશ્રમ વિવાદ કેસમાં DGP શિવાનંદ ઝાએ SP અને IG ને ગાંધીનગર બોલાવ્યાં. શિવાનંદ ઝાએ SP રાજેન્દ્ર અસારી અને IG એ કે જાડેજા સાથે બેઠક કરી હતી. તેમ તેમણે સુચન આપ્યું હતું કે સમગ્ર કેસ અને તપાસની પ્રગતિ અંગે હકીકતો મેળવી હતી. તેમજ તેમણે સમગ્ર મામલે વિગતવાર અહેવાલ માંગ્યો છે. ગુમ બંને યુવતીઓને તાત્કાલિક શોધી કાઢવા સૂચના આપી હતી.