રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે માસ્ટર સર્કુલર જાહેર કર્યું હતું. આ સર્કુલરની મદદથી ગ્રાહકના હિતો પર ભાર મુકવામાં આવ્યો હતો. સાથે જ પારદર્શિતાને વધારવા પર પણ જોર આપવામાં આવ્યું હતું.
RBIએ જાહેર કર્યું હતું સર્કુલર
આ નિયમોમાં કર્યા હતા ફેરફાર
ક્રેડિટ કાર્ડ વાપરતા હોવ તો વાંચી લેજો
ગયા અઠવાડિયે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે માસ્ટર સર્કુલર જાહેર કર્યું હતું. આ સર્કુલરની મદદથી ગ્રાહકના હિતો પર ભાર મુકવામાં આવ્યો હતો. સાથે જ પારદર્શિતાને વધારવા પર પણ જોર આપવામાં આવ્યું હતું. આ સર્કુલર 1 જુલાઈ 2022થી લાગુ થશે.
ક્રેડિટ કાર્ડ 7 દિવસમાં બંધ ન થયું તો ગ્રાહકને મળશે 500 રૂપિયા
નવા નિયમ અનુસાર જો કોઈ કસ્ટમર તમારા ક્રેડિટ કાર્ડને બંધ કરવા માંગે છે તો તે ક્લોઝરની રિક્વેસ નાખશે. રિક્વેસ્ટ નાખ્યાના સાત વર્કિંગ દિવસની અંદર ક્રેડિટ કાર્ડ કંપનીને તેને બંધ કરવું પડશે. આમ ન થવા પર તેને 500 રૂપિયા દરરોજના હિસાબથી ગ્રાહકને પેનલ્ટી આપવી પડશે. જ્યાં સુધી કાર્ડ બંધ કરવામાં નથી આવતું ત્યા સુધી. ક્લોઝર રિક્વેસ્ટના સમયે ક્રેડિટ કાર્ડ પર કોઈ પણ પ્રકારની બાકી રકમ ન હોવી જોઈએ.
અલગ અલગ રીતે ગ્રાહક નાખી શકે ક્લોઝર રિક્વેસ્ટ
હવે ગ્રાહકોની પાસે સુવિધા હશે કે તે અલગ અલગ પ્લેટફોર્મ દ્વારા ક્રેડિટ કાર્ડ ક્લોઝરની રિક્વેસ્ટ નાખી શકે છે. કસ્ટમર હેલ્પલાઈન નંબર, ઈમેલ, IVR સિસ્ટમ જેવા વિકલ્પોની મદદથી ક્રેડિટ કાર્ડને બંધ કરવાની સુવિધા મળે છે. જો કોઈ ક્રેડિટ કાર્ડનો એક વર્ષ સુધી ઉપયોગ કરવામાં નથી આવ્યો તો કાર્ડ ઈશ્યુઅલ ગ્રાહકને તેના માટે સુચના આપીને તેને બંધ કરાવાનો અધિકાર ધરાવે છે.
આ શેડ્યુઅલ દરેક બેન્ક માટે લાગુ
રિઝર્વ બેન્કનો આ પ્રોવિઝન દરેક શેડ્યુલ કમર્શિયલ બેન્ક, સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક, નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઝ, રૂરલ બેંક્સ પર લાગુ થાય છે. જોકે આ ડિજિટલપેમેન્ટ બેન્ક પર લાગુ નથી થતું. કાર્ડ જાહેર થયા બાદ કસ્ટમર જો 30 દિવસની અંદર તેને યુઝ નહીં કરે તો ઈશ્યુઅર એક્ટિવેશન માટે ઓટીપી જરૂર કરી શકે છે. જો કાર્ડ એક્ટિવેશન માટે કસ્ટમરની તરફથી સહમતિ ન મળે તો ઈશ્યુઅર તેને બંધ કરી શકે છે.
નવા સર્કુલર અનુસાર કાર્ડ ઈશ્યુઅરને વિવિધ ચાર્જ સંબંધી જાણકારી ઉદાહરણની સાથે અલગ અલગ પરિસ્થિતિઓને લઈને આપવાની રહેશે. ખાસ કરીને આંશિક પેમેન્ટના મામલામાં કયા પ્રકારનો ઈન્ટ્રેસ્ટ ચાર્જ કરવામાં આવે છે અને અન્ય ચાર્જીસ શું છે. તેની વિસ્તારથી જાણકારી આપવાની રહેશે.
જો ક્રેડિટ કાર્ડ ફ્રી ઓફ ચાર્જ છે તો કોઈ પણ પ્રકારના હિડન ચાર્જ ન હોવા જોઈએ. કુલ મળીને બેન્કને ફેક્ટ સ્ટેટમેન્ટ શેર કરવું જોઈએ. આ સ્ટેટમેન્ટમાં અલગ અલગ પ્રકારના ચાર્જ વિશે વિસ્તારમાં જાણકારી આપવામાં આવે છે. આ ફેક્ટ સીટની મદદથી ગ્રાહકોને ચાર્જ વિશે સમજવું સરળ રહેશે.