પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તાજેતરમાં RSSની મુલાકાત લીધી હતી. પણ શા માટે તેમને RSSના કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા તેનો ખુલાસો કરતા શિવસેનાએ કહ્યું હતું કે આગામી ચૂંટણી પછી જો ભાજપ પક્ષને બહુમતી ના મળે તો તેઓ મુખર્જીને વડા પ્રધાન બનવા આમંત્રણ આપી શકે છે.
જોકે આ થીયરીને મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા એ ફરાવી દીધી હતી અને કહ્યું હતું કે પ્રણવ મુખર્જી હવે ક્યારે પણ રાજકારણમાં પરત નહીં ફરે. અમને એવું લાગે છે કે જો ભાજપને સરકાર બનાવવા જેટલી બહુમતી નહી મળે તો RSS મુખર્જીને વડા પ્રધાન તરીકે આગળ ધરવાની તૈયારી કરે છે.
શિવ સેનાના નેતાએ વધુમાં કહ્યું હતું કે ચોક્કસ રીતે કહી શકાય કે આગામી ચૂંટણીમાં ભાજપને બહુમતી નહીં જ મળે. ભાજપને ઓછામાં ઓછી 110 બેઠકો ગુમાવવી પડશે.
ઉલ્લેખનીય છે કે. પ્રણવ મુખર્જીએ RSSનું આમંત્રણ સ્વિકારતા ખૂબ અટકળો થવા લાગી હતી. જે પક્ષમા તેઓ વર્ષો સુધી રહ્યા હતા તે કોંગ્રેસે પણ આમંત્રણ સ્વીકારવા બદલ તેમની ટીકા કરી હતી. એટલું જ નહીં સંઘના કાર્યક્રમમાં નહીં જવા તેમને સમજાવ્યા પણ હતા. ખૂદ તેમની પુત્રી શર્મિષ્ઠા એ પણ ખુલીને કહ્યું હતું કે તેઓ ભાજપના હાથમાં કઠપુતળી બની રહ્યા છે. આજે શર્મિષ્ઠાએ શિવસેનાના નેતાની વાતને ફગાવી હતી.