VTVના સ્ટિંગ ઓપરેશનમાં ગાડી, બંગલો ધરાવતા વાલીઓ સંતાનોના RTE હેઠળ એડમિશન મેળવવા ગરીબ બની જતા હોવાનો ચોંકાવનારો ખુલાસો.
RTE અંતર્ગત ખોટા એડમિશન પર VTVનું મેગા ઓપરેશન
ગરીબ બાળકોના ક્વોટા પર પૈસાદાર વાલીઓના ખોટા એડમિશન
પાન કાર્ડની મદદથી સમગ્ર ચોંકાવનારી વિગત સામે આવી
અમદાવાદની શાળાઓમાં VTVના મેગા ઓપરેશનમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં RTE અંતર્ગત ખોટા દસ્તાવેજોના આધારે પૈસાદાર વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, સરકાર RTEનો કાયદો ખુબ સરસ લાવી છે પરંતુ હજુ પણ તેમાં અમૂક કાયદા જેમ કે બેંકમાં પાનકાર્ડ સ્કેન થાય અને તેમામ સરવૈયું સામે આવે તેમ સ્કૂલોએ પણ આ પ્રકારના લોકોને પકડવા પાનકાર્ડ ફરજિયાત કરીને એક ઉત્તમ સેવા આપવાની જરૂર છે.જેથી જે લાભાર્થી બાળક છે તેને જ લાભ મળે. આમ જો અધિકારીઓએ પાનકાર્ડની મદદથી એડમિશન લેનારા વાલીઓનું સી-બીલ ચેક કર્યું હોત તો તેઓ તમામનું સરવૈયું સામે આવી ગયું હોત
RTE કાયદાનો કેટલાક વાલીઓ ગેરલાભ ઉઠાવી રહ્યા છે
RTEનો કાયદો ગરીબ અને મધ્યમવર્ગીઅ લોકો માટે ખુબજ લાભદાઈ નિવડી રહ્યો છે પરંતુ કેટલાક વાલીઓ આનો હવે ગેરલાભ ઉઠાવી રહ્યા છે. આવા જ એક બીજા કેસમાં દુષ્યંત સોનારાની આવક વર્ષે માત્ર દોઢ લાખ હોવાનો તેઓએ દાખલો રજુ કરી બાળકનું RTE અંતર્ગત પ્રવેશ મેળવી લીધો છે.જો કે હકીકતમાં VTV રિયાલિટી ચેક કરતા સામે આવ્યું કે આ આવક ખોટી દર્શાવી છે. દુષ્યંત સોનારાના સી-બીલ મુજબ તેમના 3 ઘર પોતાના હોવાનું સામે આવ્યું છે.દુષ્યંત સોનારાએ કુલ 10 લોન લીધી હતી. જેમાં હાઉસીંગના મકાનની 34 લાખની લોન સામે 40 હજાર દર મહિને હપ્તા ચાલી રહ્યા છે. દોઢ લાખ આવક ઘરાવતા દુષ્યંતની લાખોની લોન અને હજારોના હપ્તા કયાંથી આવ્યા.
આ મામલે NSUIના સંયોજકે પણ સરકારની નીતિ સામે સવાલો ઉભા કર્યા
VTVની ટીમે વાલીઓની આવક અને તેમણે સરકારી દસ્તાવેજોમાં RTEમાં રજુ કરેલી આવક સામે લાવી રહી છે. આ મામલે NSUIના સંયોજકે પણ સરકારની નીતિ સામે સવાલો ઉભા કર્યા હતાં. તો અન્ય એક વાલીએ પોતાના બાળકનું એડમિશન ખાનગી શાળામાં RTE અંતર્ગત કરાયું છે. જેમાં વાલી હરિશ સુકવાલીયાએ સરકારી કચેરીમાંથી દોઢ લાખ આવકનો દાખલો તો મેળવી લીધો પરંતુ હરિશ દ્વારા ભરાયેલું 3,71,987નું IT રિટર્ન અને સી-બિલ અમારી પાસે છે.તેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે, હરિશે ગેરરીતિ કરીને પોતાના બાળકનું એડમિશન કર્યું છે.
અમીર વાલીઓ ગરીબ વિદ્યાર્થીનો હક્ક છીનવી રહ્યો છે
RTE અંતર્ગત મોટાભાગના લોકો દોઢ લાખની આવક બતાવે છે.ત્યારે ખરેખર સ્વભાવિક રીતે સવાલો ઉભા થાય છે તમામ લોકો દોઢ લાખની ફીક્સ આવક જ કમાતા હતા તેને ચેક કરવાના કોઈ ઉપાય કે ધારા ધોરણો નહીં હોય.સૌથી મોટી સમસ્યા એ છે કે આ વાલીઓને ખોટો પૂરાવો આપનારા અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવી જોઈએ.આ અધિકારીઓને એક ગરીબ બાળકની બેઠક છીનવવા બદલ કડકમાં કડક સજા આપવી જોઈએ. આ મમલે વાલી મંડળના નરેશ શાહે પણ પોતાનો મત વ્યકત કર્યો હતો કે આ પ્રકારના અધિકારીઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ. આમ ખરેખર જો અધિકારીઓ જ આ પ્રકારના વાલીઓની સેવા બંધ કરીને નાણાની લાલચ ન કરે તો ગરીબ વિદ્યાર્થીનો હક્ક છીનવી શકશે નહીં.અને જેને ખરેખર જરૂર છે તે બાળક શિક્ષણથી વંચિત રહેશે નહીં.
કેવી રીતે થયો ખુલાસો
અમારી ટીમે અને અલગ અલગ સ્કૂલો પર RTE અંતર્ગત અપાતા ડોક્યૂમેન્ટની ચકાસણી કરી.તપાસ કર્યા બાદ અનેક લોકોએ ખોટા દસ્તાવેજ રજૂ કરી એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું છે.અમારી ટીમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને તે વાલીઓનો સંપર્ક કર્યો અને ખોટા એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું છે.આ તમામ લોકોનું RTE ફોર્મ અને આવકના સ્ત્રોતની સરખામણી કરતા પોલ બહાર આવી હતી.
અમીર વાલીઓની 'ગરીબ' આવક એકસરખી
RTE અંતર્ગત એડમિશન મેળવવા માટે વાલીઓ પોતાના મકાન હોવા છતાં દોઢ લાખની આવક બતાવી રહ્યાં છે. તો સામે અધિકારીઓ પણ સામાન્ય લાલચ માટે થઇને ગરીબનું ભણતર છીનવી રહ્યાં છે. 10થી 15 ટકા વાલીઓ એવાં છે કે જેઓએ ગેરકાયદે રીતે એડમિશન લીધા છે. વાર્ષિક આવક રિટર્ન 5થી 50 લાખ ભરનારા પણ ચોપડે ગરીબ દેખાય છે.
આવકના દાખલા મિલીભગતને કારણે બેફામ અપાયા?
સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે કે, પૈસાદાર વાલીઓ RTEમાં એડમિશન મેળવવા ખોટા દસ્તાવેજો ઊભા કરી લેતા. અમદાવાદમાં અલગ-અલગ શાળાના સર્ચમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પૈસાદાર વાલીઓ પોતાને ગરીબ બતાવીને RTE અંતર્ગત ખોટા એડમિશન લઇ લે છે. સ્ટિંગ ઓપરેશનમાં ગરીબ બાળકોના ક્વોટા પર પૈસાદાર વાલીઓના ખોટા એડમિશન થયા હોવાનું સામે આવ્યું. જો કે, અહીં પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે, શું આ આવકના દાખલા કોઇની મિલીભગતના કારણે બેફામ રીતે અપાઇ રહ્યાં છે? આખરે કોણ છે આ કૌભાંડ પાછળનો મુખ્ય સૂત્રધાર?
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 23, 2022
DEOની કામગીરી પર સૌથી મોટો સવાલ
આ ખોટા એડમિશનમાં સૌથી પહેલો કિસ્સો કમલેશ પંડ્યા નામના વાલીનો સામે આવ્યો છે. કમલેશભાઈએ દોઢ લાખની આવક બતાવી ખોટી રીતે પોતાના બાળકનો પ્રવેશ મેળવ્યો છે.
બીજા કિસ્સામાં દુષ્યંત સોનારા, હરિશ સુકવાલિયાએ પણ ખોટી રીતે પ્રવેશ મેળવ્યો છે. હરિશ અને દુષ્યંતે પણ ખોટા દસ્તાવેજ રજૂ કરીને પોતાના બાળકનું એડમિશન કર્યું છે. RTE એડમિશન હેઠળ પૈસાદાર વાલીઓના વિદ્યાર્થીઓના પ્રવેશ પર સૌથી મોટો સવાલ DEOની કામગીરી પર ઊભો થાય છે. કે શું આ કૌભાંડ પાછળ તેઓને કોઇ જાણ જ ન હોતી કે પછી તેઓએ આંખ આડા કાન કરી દીધા છે?