ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ અમદાવાદમાં રમવામાં આવી રહી છે. ભારત આ મેચ જીતી લેશે તો તે WTCના ફાઈનલમાં એન્ટ્રી કરી લેશે.
7 જૂનથી લંડનમાં રમાશે WTC ફાઈનલ.
WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ટોપ પર.
અમદાવાદ મેચ ડ્રો થશે ભારત WTC ફાઈનલમાંથી બહાર.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ અમદાવાદમાં રમવામાં આવી રહી છે. આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બે ઈનિંગ જ રમાઈ છે. આ મેચમાં બે દિવસ બાકી છે અને બે ઈનિંગની રમત રમવામાં આવશે. આ કારણોસર અમદાવાદ ટેસ્ટ મેચ ડ્રો થવાની આશંકા જોવા મળી રહી છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ના ફાઈનલના કારણે અમદાવાદ ટેસ્ટ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો ભારત આ મેચ જીતી લેશે તો તે WTCના ફાઈનલમાં એન્ટ્રી કરી લેશે.
7 જૂનથી લંડનમાં WTC ફાઈનલ
આ વર્ષે 7 જૂનથી લંડનના ધ ઓવલ મેદાનમાં WTC ફાઈનલ રમવામાં આવશે. ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, જેથી તેણે WTC ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. બીજી ફાઈનાલિસ્ટ ટીમની રાહ જોવામાં આવી રહી છે. બીજી ફાઈનાલિસ્ટની ટીમની દાવેદારીમાં ભારતની સાથે સાથે શ્રીલંકા પણ છે.
ભારત vs શ્રીલંકા
બે વર્ષ સુધી ચાલનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી સીઝન છે. આ ચેમ્પિયનશીપની માત્ર 4 મેચ બાકી છે. સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝ રેસમાંથી બહાર હોવાને કારણે તેમની વચ્ચે રમાનાર મેચનું કોઈ મહત્ત્વ નથી. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. જો આ મેચ ડ્રો થશે અથવા ભારત હારી જશે તો, ભારત WTC ફાઈનલમાંથી બહાર થઈ જશે. આ સમગ્ર મામલો શ્રીલંકા-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સીરિઝ પર શિફ્ટ થઈ જશે.
ભારત: WTC ફાઈનલમાં પહોંચવાનું ગણિત
WTC ફાઈનલમાં પહોંચવા માટે શ્રીલંકાએ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 2-0ના ક્લીન સ્વીપથી જીતવાની રહેશે. આ સીરિઝ ન્યુઝીલેન્ડમાં રમવામાં આવી રહી છે. જો આ સીરિઝની એક પણ મેચ ડ્રો થશે અથવા શ્રીલંકા હારી જશે, તો તે પરિસ્થિતિમાં ભારત અમદાવાદ ટેસ્ટ મેચ હારી જશે તો પણ WTC ફાઈનલમાં પહોંચી જશે.