IIT કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે ગણીતના મોડલને આધારે દાવો કર્યો છે કે ત્રીજી લહેર બીજી લહેર કરતા ઓછી ઘાતક હશે.
IIT કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલનો દાવો
ત્રીજી લહેર બીજી લહેર કરતા ઓછી ઘાતક હશે
કોરોનાના નિયમોનું પાલન ન કરાયું તો ઘાતક બનશે
ઓક્ટોમ્બર-નવેમ્બરમાં આવવાની સંભાવના
પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે કોરોનાની પહેલી લહેરના કેસ, જનસંખ્યા અને ઈમ્યુનિટીના સ્તરને આધાર બનાવીને આ દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ક્યારે પૂરી થશે તે અંગેનો તેમનો દાવો સંપૂર્ણપણે સાચો પડ્યો છે.
પ્રતિબંધો હટાવી લેવાશે તો ત્રીજી લહેર બીજી કરતા ભયંકર હશે- ગુલેરિયા
AIIMS ના નિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપી છે. તેમણે કહ્યું કે જો બધા જ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા તો હવે પછીની ત્રીજી લહેર બીજી લહેર કરતાં પણ વધુ ભયાનક હશે. તેમણે કહ્યું કે લોકોમાં ઇમ્યુનિટી ઓછી હોવી અને લોકડાઉન પરથી પ્રતિબંધ હટાવી લેવોએ ત્રીજી લહેરનું કારણ બની શકે.
કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન
વધુમાં તેમણે કહ્યું કે એક ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાના રિપોર્ટ પરથી એ તારણ નીકળી છે કે જો લોકડાઉન પરના પ્રતિબંધ હટાવી લેવામાં આવે અને વાયરસનું સ્વરૂપ પણ ઇમ્યુનિટીને પણ નબળી કરી નાખે તેવું થઈ જાય તો બીજી લહેર કરતાં પણ વધુ ભયાનક લહેર દેશમાં આવશે. વધુમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે કોરોનાના નિયમોનું પાલન કરવું, માસ્ક પહેરવું, અને રસીકરણ જેવી બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ બાબતોનું ધ્યાન રાખીશું તો ત્રીજી લહેર આવતા રોકી શકીશું.
બીજી લહેર કરતાં ત્રીજી લહેર હશે વધુ ભયાનક
તેમણે કહ્યું કે આ પ્રતિબંધો રાખવામાં આવશે તો વાયરસ પણ સ્થિર થશે અને કોરોનાના કેસ વધુ પ્રમાણમાં વધશે નહીં. એટલે જેટલો વધુ પ્રતિબંધ એટલા કેસો ઓછા. વધુમાં તેમણે વેક્સિનને લઈ કહ્યું કે હાલમાં જે રસી છે તેમાં થોડો બદલાવ કરવામાં આવી શકે છે જો કોરોનાના નવા વેરિયન્ટ સામે આવે તો. કોરોનાની ત્રીજી લહેરની અસર બીજા શહેરોમાં જોવા મળી છે પણ ત્યાં હોસ્પિટલમાં દર્દીઓનો દર ઘણો જ ઓછો છે.