આપણા સૌર મંડળમાં સૂર્યના મહત્વથી તમામ લોકો વાકેફ છે. તેના વગરના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યારે વિચારો કે સૂર્ય જ ગાયબ થઇ જાય તો..? તેનો જવાબ આપણને સૂર્યની ઉપયોગીતાથી જ મળી શકે છે.
સૌર મંડળના તમામ ગ્રહો સૂર્યની પરીક્રમા કરે છે. આ પરીક્રમા કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, સૂર્યમાં એટલી તાકાત છે જે અન્ય ગ્રહોને ખેંચી શકે છે. પરંતુ ગતિશીલ હોવાને કારણે સૂર્યમાં હોમાઇ જતાં નથી.
આપને જણાવી દઇએ કે, ગ્રહોને રોકી દેવામાં આવે તો તે સૂર્ય તરફ ખેંચાઇ જાય અને તેમા વિલિન થઇ જાય તો સમગ્ર સૌર મંડળના ગ્રહો નાશ પામે. આ પ્રકારની ઘટનાનું ગંભીર પરીણામ ધરતી પરના લોકોને ભોગવવું પડે. એવી માત્ર કલ્પના કરો કે, કોઇ અજાણ્યા કારણોસર જો સૂર્ય અચાનક ગાયબ થઇ જાય તો..?
જાણો શું થઇ શકે અસર
- આમ, થવાથી કેટલાક ગ્રહો ગુરૂત્વાકર્ષણને કારણે એકબાજા સાથે ચીપકી શકે તો એકબીજા વચ્ચે જોરદાર ટક્કર પણ થઇ શકે છે.
- સંભાવના એવી પણ છે કે, તમામ ગ્રહો અને અંતરિક્ષમાં એક સીધી રેખામાં ચાલવાને બદલે આપણા સૌર મંડળમાંથી બહાર નીકળી જશે.
- ધરતી પર ગરમીનું પ્રમાણ વધી જાય અને માનવીનું અસ્તિત્વ નાશ પામે.
-ધરતી પર અંધારુ છવાઇ જાય અને વૃક્ષો, ઝાડ,પાન નાશ પામે.