આમ તો દૂધ હિંદુ ધર્મમાં શુભ કાર્યોમાં પ્રયોગ કરવામાં આવે છે. સાથે માનવામાં આવે છે કે દૂધ ઊભરાવવું મહેમાનોને આવવાનો સંકેત હોય છે. પરંતુ દૂધનું ઊભરાવવું કોઇ અશુભ ચીજોનો પણ સંકેત હોય છે. એનાથી જીવનમાં ખલબલી મચી શકે છે.
દૂધને ચંદ્રમાનો કારક માનવામાં આવે છે.
દૂધ ઊભરાવવાથી મંગળ ગ્રહ પણ અશુભ ફળ આપે છે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર દૂધને ચંદ્રમાનો કારક માનવામાં આવે છે. ચંદ્રમા વ્યક્તિના મન, મગજ, આર્થિક સ્થિતિ અને પારિવારિક સ્થિતિ સાથે સંબંધ રાખે છે. એટલા માટે દૂધનું અચાનક ઊભરાવવું આ દરેક ચીજોને પ્રભાવિત કરી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મોટાભાગે દૂધ ઉકાળતી વખતે એ ઊભરાઇ જાય તો વ્યક્તિએ સમજવું જોઇએ કે એની ચંદ્રની સ્થિતિ બગડવાની છે. એનાથી તમે માનસિક રૂપથી પરેશાન થઇ શકો છો.
અગ્નિ પર મંગળનું અધિપત્ય હોય છે. એવામાં દૂધનો ઉકાળતી વખતે એનું ઊભરાવવું અશુભ હોય છે. માનવામાં આવે છે કે એનાથી વ્યક્તિનો ગુસ્સો વધી શકે છે.
ઉકાળતી વખતે દૂધ નીચે પડવાથી વ્યક્તિની કુંડળીમાં મંગળ અને ચંદ્રમાં બંને ગ્રહોની સ્થિતિ ખરાબ થઇ શકે છે. એનાથી પરિવારમાં ઝઘડા વધી શકે છે.
દૂધનું દરરોજ ઊભરાઇને પડવું પૈસાની તંગી તરફ ઇશારો કરે છે. એનાથી ઘરમાં ધન ટકતું નથી.
સાંજના સમયે દૂધ ઉકળીને પડવાનો અર્થ એ છે કે ઘરમાં પરેશાનીઓ આવી શકે છે. એવામાં દૂધને ઉકાળતી વખતે ધ્યાન આપો.
જો તમે કોઇ સારા કામ માટે જઇ રહ્યા છે તો દૂધનું ઊભરાવવું તમારું કામ બગાડી શકે છે એટલા માટે ભગવાનને કંઇક મીઠું અર્પણ કરીને જાવ.
આ ઉપરાંત દૂધ ઊભરાવવું એ બિમારીનો પણ સંકેત થઇ શકે છે. એનાથી વ્યક્તિની ચિંતાઓ વધી શકે છે.
સવારના સમયે જો દરરોજ દૂધ ઊભરાવવું એ અપશુકન માનવામાં આવે છે. એનાથી દેવી અન્નપૂર્ણાનું અપમાન થાય છે.