જો કોઈ વ્યક્તિ તમારી પાસે ચલણમાં હોય તેવા સિક્કા અને ખાસ કરીને 1 કે 10 રૂપિયાના સિક્કા લેવાની ના પાડે છે તો તમે FIR કરી શકો છો.
જાણો શું છે નિયમ અને કરો ફરિયાદ
કોઈ ન લે 1 કે 10 રૂપિયાનો સિક્કો તો કરી લો આ કામ
નિયમના આધારે થઈ શકે છે જેલની સજા
અનેક વાર તમે અનુભવ્યું હશે કે અનેક દુકાનદાર 10 રૂપિયાનો સિક્કો કે 1 રૂપિયાનો નાનો સિક્કો લેવાની ના પાડે છે. અનેક લોકોનું કહેવું છે કે એક ખાસ રીતે 10 રૂપિયાના સિક્કા નકલી છે કે 1 પછી એક રૂપિયાની સિક્કા હવે ચલણમાં રહ્યા નથી. એવામાં તમે અનેક વાર મુશ્કેલી અનુભવો છો. પણ શું તમે જાણો છો કે આ કાયદાકીય રીતે ખોટું છે. તમે તે લોકોની વિરુદ્ધ ફરિયાદ કરો છો તો તેમને સજા પણ થઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થાય તો જાણો શું છે સિક્કાને લઈને નિયમ અને કોઈ સિક્કો લેવાની ના પાડે તો તેને કેટલી સજા થઈ શકે છે તે પણ.
શું થઈ શકે છે કાર્યવાહી
જો કોઈ વ્યક્તિ કોઈ પણ સિક્કા જે ચલણમાં છે અને તેને લેવાની ના પાડે છે તો તેની વિરુદ્ધમાં એફઆઈઆર કરાવી શકાય છે. તેની વિરોધમાં ભારતીય મુદ્રા અધિનિયમ અને આઈપીસીની કલમના આધારે કાર્યવાહી કરાશે. કેસની ફરિયાદ તમે રિઝર્વ બેંકમાં પણ કરી શકો છો. આ પછી દુકાનદાર કે જે પણ સિક્કા લેવાની ના પાડે છે તેની વિરોધમાં કાર્યવાહી કરી શકાય છે.
શું છે સજાની જોગવાઈ
ભારતીય દંડ સંહિતાની કલમ 489એથી 489ઈના આધારે નોટ કે સિક્કાના નકલી મુદ્રણ, નકલી નોટ કે સિક્કા ચલાવવા અને યોગ્ય સિક્કા લેવાની મનાઈ કરવી એ અપરાધ છે. આ કલમના આધારે કોઈ વિધિક ન્યાયાલય દ્વારા આર્થિક દંડ, કારાવાસ કે બંનેની જોગવાઈ કરવામાં આવી છે. એવામાં જો તમારી પાસે કોઈ સિક્કો લેવાની ના પાડે તો જરૂરી સબૂતની સાથે કાર્યવાહી કરો તે ઈચ્છનીય છે.
આરબીઆઈએ પણ આપી હતી જાણકારી
આમ તો આરબીઆઈએ સિક્કાને લઈને જાણકારી શેર કરી હતી અને કહ્યું હતું કે કોઈ પણ સિક્કા નકલી નથી. સાથે આરબાઆઈએ 10 રૂપિયાના સિક્કાને લઈને જે અફવા ફેલાવવામાં આવી રહી હતી તેને ખોટી ગણાવી હતી. એવામાં તમે 10 રૂપિયાના કોઈ પણ સિક્કાને લેન દેનમાં ઉપયોગમાં લઈ શકો છો. ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંક 2 રૂપિયાથી લઈને 10000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ કરવા અધિકૃત છે. એક રૂપિયાની નોટ આરબીઆઈના નાણામંત્રાલયની તરફથી છાપવામાં આવે છે. તેની પર નાણા સચિવના હસ્તાક્ષર પણ હોય છે.