ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જનારી ટીમથી બહાર રાખવામાં આવ્યો છે. રોહિત શર્મા ઇન્જર્ડ હોવાને કારણે તે રમી શકશે નહી પણ સાથે તો તે જશે જ. જેના પર વિરેન્દ્ર સિંહ સેહવાગે સવાલ ઉઠાવ્યા છે.
રોહિત શર્માના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભડક્યા
વિરેન્દ્ર સહેવાગે આપી પ્રતિક્રિયા
મિડીયાને પ્રશ્નો પૂછવા આપી સલાહ
સહેવાગે એક વૅબસાઇટ સાથે વાત કરતા જણાવ્યું કે અમારા સમયમાં શ્રીકાંત મુખ્ય સિલેક્ટર હતા અને જો કોઇ વ્યક્તિ ઇન્જર્ડ હોય તો તેને સાથે લઇ જવા દેતા ન હતા. જો આજની ઇજાને જોઇને તેનુ સિલેક્શન કરવામાં આવતું હતુ તો આ ખુબ જ કઠોર નિર્ણય છે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા માટે ટીમ રવાના થઇ ત્યારે રોહિત શર્માને પણ લઇ જવામાં આવ્યો છે. તો સવાલ તે છે કે રોહિત ફીટ જ નથી તો તે કેવી રીતે પ્રેક્ટિસ કરી શકશે.
હાલમાં તો રોહિત શર્માને લઇને કોઇ પણ પ્રકારની અપડેટ નથી પરંતુ મિડીયાએ તે પૂછવું જોઇએ કે જો તે સ્વસ્થ નથી તો સ્ટેડિમમાં મૅચ દરમિયાન તે શું કરી રહ્યાં છે. તે પીટ નથી તો તેને આરામ કરવો જોઇએ જેથી તે જલ્દી ઠીક થઇ જાય અને રમી શકે.