એવું લાગી રહ્યું છે કે રાફેલ વિવાદ હજી થોડા દિવસ સુધી ભારતીય રાજકારણમાં છવાયેલો રહેશે. તેના પર ચાલી રહેલો વિવાદ હજુ શાંત થવાનું નામ લેતો નથી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રાફેલ મામલે ક્લીન ચીટ આપી છે પરંતુ વિપક્ષ તેનાથી નાખૂશ દેખાઇ રહ્યો છે. વિપક્ષ રાફેલ મામલાને સંસદમાં શિયાળુ સત્રમાં ઉઠાવા માગે છે અને જેપીસી ગઠનની માગ કરવામાં આવી રહી છે.
જો કે સુપ્રીમના ચુકાદા બાદ રાહુલ ગાંધીએ સરકાર વિરુધ્ધ મોરચો ખોલી દીધો છે. જેમાં હવે પૂર્વ નાણાંપ્રધાન અને કોંગ્રેસ વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ટ્વિટ કરે સરકારને સવાલ પૂછ્યો છે.
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય રજૂ કર્યા બાદ કોંગ્રેસે ફરી એક વાર કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
પૂર્વ નાણાં મંત્રી પી.ચિદંબરમે ટ્વીટ કરીને સરકારને પૂછ્યું કે સરકારે માત્ર 36 જ વિમાનો કેમ ખરીદ્યા જો એન.ડી.એ. સરકારને 9 થી 20 ટકા સસ્તી કિંમતે વિમાન મળી રહ્યા છે તો તેઓએ 126 વિમાનો કેમ ના ખરીદ્યા?
વાયુ સેનાનું કહેવું છે કે આ લડાકૂ વિમાનની શક્તિ ઓછી થઈ ગઈ છે અને કમસે કમ 126 વિમાનોની જરૂર છે. તો પછી સરકારે માત્ર 36 જ વિમાનો કેમ ખરીદ્યા. રાફેલ 126 વિમાનો વેચવા માટે તૈયાર છે.
મોદી સરકારના નાણાં મંત્રાલય મુજબ કિંમત સસ્તી છે. તો પછી માત્ર 36 વિમાન કેમ ખરીદ્યા...શું કોઈ આ રહસ્યનું કારણ બતાવી શકશે.
પૂર્વ નાણાં મંત્રી પી.ચિદંબરમે આરોપ પણ લગાવ્યો છે કે 126 વિમાનોની રજૂઆત દરમિયાન માત્ર 36 વિમાન ખરીદીને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ગંભીર સમજૂતી કરી છે.