ન્યૂઝીલેન્ડ સીરિઝના પહેલા ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ પ્રવાસના કાર્યક્રમ પર સવાલ ઉઠાવ્યા હતા. T20 મેચની પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યુ કે, ''તેઓ સ્ટેડિયમમાંથી સીધો એક અન્ય સીરિઝ રમીને આવી રહ્યો છે.''
લગભગ 1 મહિના પછી જ્યારે ટીમનો પ્રવાસ પૂરો થયો અને ટીમ ઇન્ડિયાને માત્ર T20 સીરિઝમાં જીત મળી, બાકીની વનડે અને ટેસ્ટમાં નિરાશા મળી ત્યારે વિરાટ કોહલીએ કંઇક અલગ જ કહ્યુ કે, ''ટીમ વધારે લાંબો ઑફ સીઝન ના લઇ શકે.''
વિરાટ કોહલીએ સોમવારે બીજી ટેસ્ટ મેચ ખત્મ થયા પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, ''જેમ મેં પહેલા કીધુ હતુ કે, મને નથી લાગતુ કે આવનારા 2-3 વર્ષ મને કોઇ મુશ્કેલી પડે. જો ખેલાડીઓને લાગે છે તેમનું ક્રિકેટ વધારે છે તો તેઓ ફોર્મેટના આધાર પોતાની પ્રાથમિક્તા નક્કી કરી લે અને તે હિસાબથી બ્રેક લઇ લે. આ સિવાય મારા પાસે બીજો કોઇ ઑપ્શન નથી.''
Congratulations to New Zealand on winning the Test series. #NZvIND
31 વર્ષીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ કે, ''ટીમ ઇન્ડિયા ઑફ સીઝન જો વધારે હશે તો ફાયદો નહી થાય. હાલના સમયમાં બ્રેક જ એકમાત્ર ઑપ્શન છે કેમકે ફ્ચૂયર ટૂર કાર્યક્રમ (FTP) પહેલા જ તૈયાર થઇ ચૂક્યુ છે. અમે સ્થિતિ જોઇને તાલમેલ બેસાડવો પડશે. જો બેટ્સમેન વચ્ચે મેચમાં ઇજાગ્રસ્ત થઇ જાય તો તમે જોઇ શકો છો કે શું થઇ શકે છે કારણ કે આ સ્થિતિ સંભાળવી અમારું કામ છે.''
ન્યૂઝીલેન્ડે ક્રાઇસ્ટચર્ચ ખાતેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 7 વિકેટે હરાવી સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પહેલી ટેસ્ટમાં વેલિંગ્ટનમાં ટીમ ઇન્ડિયા 10 વિકેટે હાર્યું હતું. આ મેચમાં ટોસ હારીને ટીમ ઇન્ડિયાએ પ્રથમ દાવમાં 242 રન કર્યા હતા. જવાબમાં કિવિઝ 235 રન જ કરી શક્યું હતું. બીજી ઇનિંગ્સમાં 7 રનની લીડ સાથે મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયા 124 રનમાં ઓલઆઉટ થઇ હતી. કિવિઝને 132 રનનો ટાર્ગેટ 3 વિકેટે ચેઝ કર્યો. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં T-20 સિરીઝ 5-0થી જીત્યા પછી ઇન્ડિયન ટીમ વનડેમાં 0-3 અને ટેસ્ટમાં 0-2થી હાર્યું.