ટેસ્ટ સીરિઝમાં ઇંગ્લેન્ડની સામે મળેલી હાર પછી ટીમ ઇન્ડિયાના સિલેક્ટર એમ.એસ.કે પ્રસાદે સંકેત આપ્યા છે કે આગામી સમયમાં ટીમમાંથી કેટલાક લોકપ્રિય ચહેરાઓની છુટ્ટી થઇ શકે છે. એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે ''જો ખેલાડીઓ યોગ્ય પરફૉર્મન્સ નહી આપી શકે તો તેમની જગ્યાએ નવા ખેલાડીઓને ચાન્સ આપવામાં આવશે.'' જોકે આ દરમિયાન તેમણે ઇંગ્લેન્ડમાં ફ્લોપ રહેલા ટીમ ઇન્ડિયાના ઑપનર્સનો બચાવ કર્યો હતો.
ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ સીરિઝમાં ઇંગ્લેન્ડની સામે 1-4થી હાર મેળવી હતા. આ સીરિઝમાં એકમાત્ર ટીમ કેપ્ટન વિરાટ કોહલી જ સારી બેટિંગ કરી હતા. જોકે હાર પછી પૂર્વ ક્રિકેટસે ફકત બેટ્સમેનને નહીં પણ ટીમ સિલેક્શન કોચિંગ વિરાટની કેપ્ટનશિપ વગેરે તમામ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
ટીમ સિલેક્શન વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે જે ખેલાડીઓને મોકા મળ્યા છતાં તેઓ સારું પરફૉરમન્સ નથી કરી શકતા તેમની જગ્યા માટે અમારી પાસે વિકલ્પ છે. ડોમેસ્ટિક ટૂર્મામેન્ટ અને યુવાન ખેલાડીઓ જબરજસ્ત ફૉર્મમાં છે. ખાસ કરીને ઇન્ડિયા Aના ટીમના ખેલાડીઓને ખાસ મોકો આપવામાં આવશે. પ્રસાદે આગળ કહ્યુ કે ''વિરાટને એશિયા કપમાં આરામ આપવામાં આવ્યો છે તે જ રીતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ અનેક ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.'' તેમણે આર.અશ્વિનને સ્પીનર પૈકી એક ગણાવ્યો હતો.
ટૉપ અને મિડલ ઑર્ડરમાં ખરાબ ફોર્મ આપનારા સવાલ પર કહ્યુ કે ''આપણે ખેલાડીઓને તેમની પ્રતિભા સાબિત કરવાનો મોકો આપવો જોઇએ. આ એ સાચું છે કે આપણા ઑપનર્સ ફેલ રહ્યા છે. પરંતુ જોવામાં આવે તો ઇંગ્લેન્ટની ટીમના ઑપનર્સ પણ સંઘર્ષ કરી રહ્યા હતા. કેમકે તેમના માટે પરિસ્થિતિ થોડી અઘરી હતી. જ્યારે ત્રીજા અને પાંચમાં નંબરે રહાણે અને પૂજારા પાસે ખાસ અનુભવ છે અને ઘણીવખત તેમણે આ સીરિઝમાં સારું ફોર્મ આપ્યું છે. હા જોકે તેઓ વધુ સારું કરી શકે છે.''
તેમણે આ સીરિઝમાં ટીમ ઇન્ડિયાના ફૉર્મ વિશે વાત કરતા કહ્યુ કે ''સીરિઝ ભલે આપણા પક્ષમાં ના રહી પરંતુ તેમ છતાં કેટલીક બાબતે આપણે સારું ફૉર્મ કર્યુ છે. મને લાગે છે કે અમારી ફાસ્ટ બૉલિંગ યુનિટે શાનદાર ફૉર્મ કર્યુ અને 5 ટેસ્ટમાં 60થી વધુ વિકેટ પોતાના નામે કરી છે. જેના પરથી સાબિત થાય છે કે ખેલાડીઓ કેટલા ફિટ છે.''