બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 3 રાશિવાળા લોકો આ રત્ન પહેરતા હોય તો કાઢી નાખજો, જીવનમાં બધુ ધાર્યા કરતાં ઊંધું થશે

ધર્મ / 3 રાશિવાળા લોકો આ રત્ન પહેરતા હોય તો કાઢી નાખજો, જીવનમાં બધુ ધાર્યા કરતાં ઊંધું થશે

Last Updated: 04:22 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોતી રત્નનો સંબંધ ચંદ્ર સાથે છે. તેને ધારણ કરવાથી માનસિક શાંતિ, સકારાત્મકતા ગુસ્સા પર નિયંત્રણ મળે છે. તેને પહેરવાની ચિક્કસ વિધિ પણ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોતી રત્નનો સંબંધ ચંદ્ર સાથે હોય છે, જેને મનનો કારક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મોતી ધારણ કરવાથી મન શાંત થાય છે અને માનસિક સ્થિરતા આવે છે. રત્નશાસ્ત્ર અનુસાર 9 રત્નોમાંથી એક મોતી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. આ રત્ન પહેરવા માટે ખાસ નિયમો છે. ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ મોતી પહેરવું જોઈએ અને કોને નહીં તથા તેને પહેરવાથી કયા ફાયદા થાય છે.

  • મોતી કઈ રાશિ માટે લાભકારી?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રનો રત્ન મોતી મેષ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રાશિના લોકોને મોતી પહેરવાથી ચંદ્રનો શુભ પ્રભાવ મળે છે.

Gem Astrology
  • કઈ રાશિના લોકોએ મોતી ન પહેરવું?

જ્યોતિષ મુજબ સિંહ, તુલા અને ધન રાશિના લોકોએ ખાસ પરિસ્થિતિઓમાં જ મોતી પહેરવા જોઈએ. આ સિવાય બીજી રાશિના લોકો માટે મોતી રત્ન પહેરવું યોગ્ય માનવામાં નથી આવતું.

  • આ રીતે ધારણ કરો મોતી રત્ન

જ્યોતિષીઓના મતે મોતી રત્નને ચાંદીની વીંટીમાં લગાવીને પહેરવું જોઈએ. આ રત્ન કોઈપણ મહિનાના શુક્લ પક્ષમાં સોમવારે રાત્રે ધારણ કરવું જોઈએ. આ સિવાય પૂર્ણિમાના દિવસે મોતી પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મોતી પહેરતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરો અને ભગવાન શિવને અર્પણ કરો. ત્યાર બાદ તેને જમણા હાથની ટચલી આંગળી પર પહેરો.

વધુ વાંચો : આયો રે શુભ દિન આયો રે! મકરસંક્રાતિ પહેલા સૂર્યનું નક્ષત્ર પરિવર્તન, 5 જાતકોના નસીબ જાગશે

  • મોતી ધારણ કરવાથી કયા મળે છે લાભ?
  1. માનસિક શાંતિ - મોતી પહેરવાથી માનસિક અશાંતિ અને તણાવમાંથી રાહત મળે છે.
  2. ગુસ્સા પર નિયંત્રણ - જેમને જલ્દી ગુસ્સો આવે છે તેમના માટે મોતી ફાયદાકારક છે.
  3. સકારાત્મકતા- તેને ધારણ કરવાથી મનમાં સકારાત્મક વિચારો વધે છે.
  4. માનસિક સ્થિરતા - મનને સ્થિર અને શાંત રાખવા માટે મોતી ધારણ કરવું જોઈએ.
  5. માનસિક બીમારીઓથી રાહત: આ મોતી માનસિક બીમારીઓથી છુટકારો મેળવવા મદદરૂપ સાબિત થઈ શકે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Moon Moti Ranta Gem Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ