રાજ્યમાં વૈશાખ મહિનાથી મગફળીનું વાવેતર શરુ. પરંતુ કપાસના ભાવ વધુ મળવાના કારણે ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાઓ. ઉત્પાદન ઓછું થાય તો સીધી અસર સિંગતેલના ભાવ પર.
મગફળીના વાવેતરમાં પ્રોત્સાહક નીતિ અપનાવો-શાહ
નહી તો ખેડૂત સાથે જનતા પણ પીલાશે ભાવની ઘાણીમાં
સરકાર રોકડ સહાય કે સબસીડી આપી કરી શકે છે મદદ
સૌરાષ્ટ્રમાં મગફળીનું મોટું વાવેતર કહેતા' હબ'છે ત્યારે આ વખતે મગફળીના વાવેતરને લઈને એક મોટી ચિંતા સતાવી રહી છે. આ ચિંતા એ છ કે, કપાસના ભાવ વધુ મળતા મગફળીનું વાવેતર 30 ટકા ઘટવાની ભીંતિ સેવાઈ રહી છે. આ ચિંતાને હળવી બનાવવા અને ખેડૂતો પરનો બોજ ઓછો કરવા સાથે સિંગતેલના ભાવને નિયંત્રણમાં રાખવા GSEOOSAના પ્રમુખ સમીર શાહે રાજ્યના કૃશીમાંન્ત્રીને પત્ર લખી કેટલાક સૂચનો કર્યા છે.
રાજ્યમાં વૈશાખ મહિનાથી મગફળીનું વાવેતર શરુ થશે. પરંતુ કપાસના ભાવ વધુ મળવાના કારણે ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાઓ નકારી શકાતી નથી. જો મગફળીનું ઉત્પાદન ઓછું થાય તો તેની સીધી અસર સિંગતેલના ભાવ પર પડશે. પરિણામે સિંગતેલના ભાવ આસમાને આંબી શકે છે. આ ભાવને નિયંત્રિત કરવા રાજ્ય સરકારે કેટલાક ખેડૂત લક્ષી નિર્ણય કરવા પડશે. રાજ્ય સરકારે કેવા પગલા લેવા જોઈએ તે માટે GSEOOSAના પ્રમુખ સમીર શાહે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે.
GSEOOSAના પ્રમુખ સમીર શાહના સુચન
કૃષિ મંત્રીને લખાયેલા પત્રમાં શાહે કહ્યું કે છે કપાસના ભાવ વધુ મળતા મગફળીનું વાવેતર 30 ટકા ઘટવાની ભીંતિ વચ્ચે ખેડૂતોને મગફળી વાવેતર માટે બોનસ, રોકડ સહાય, એડિશનલ વીમા કવચની માંગ કરી છે. તેમણે આગામી ખરીફ સીઝનમાં મગફળીનું વાવેતર જળવાઇ તે માટે પત્ર લખતા ઉમેર્યું કે, આ વર્ષે મગફળીના 20 કિલોના ભાવ 1000થી 1150 રહ્યાં છે તો કપાસના 20 કિલોના ભાવ 2 હજાર રહેતા કપાસ પર ખેડૂતોનો વધુ ઝુકાવ રહ્યો છે. કપાસના ભાવ પ્રતિ 20 કિલોએ 2 હજાર જેવા મળ્યા છે. સામે મગફળીમાં પ્રતિ 20કિલોએ 1 હજાર થી 1150 જ ભાવ મળ્યા છે. એટલે ખરીફ સીઝનમાં ખેડૂતોનો કપાસના વાવેતર પ્રત્યે ઝુકાવ રહે તે સ્વાભાવિક છે.
કપાસના ભાવની વિપરીત અસર
આ પરિણામે મગફળીના વાવેતરમાં આગામી ખરીફ સીઝનમાં 25થી 30 ટકાનો કાપ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. આમ પણ દેશમાં ખાદ્યતેલની મોટી ખાધ છે.ત્યારે આપણે ખાદ્યતેલની જરૂરિયાતના 65 ટકા જેટલું તેલ વિદેશોથી આયાત કરવું પડે છે. આ સ્થિતિમાં મગફળી જેવા તેલની ટકાવારી ધરાવતા તેલિબિયાંનું ઉત્પાદન ઘટે તો દેશના અર્થતંત્ર પર ઘાતક અસર પડી શકે છે. મગફળીમાં ફોતરા સહિત 28 ટકાથી 33 તેલની ટકાવારી હોય છે.અને ફોતરા કાઢી નાખેલા સિંગદાણામાં 45 થી 53 ટકા જેટલું તેલ હોય છે. મગફળી સિવાય કપાસિયા તથા સોયાબીન જેવા તેલિબિયાથી 15થી 18 ટકા જેટલું તેલ મળતું હોય છે.આવા સંજોગોમાં મગફળીના વાવેતર પર કોઇ પ્રકારનું બોનસ/રોકડ સહાય અને વીમા કવચ પ્રકારના લાભો જાહેર કરવા જોઇએ. તેમ શાહે પત્રમાં રાજયના કૃષિ વિભાગને સુચન કર્યા છે.