ચારધામના નામથી પ્રસિધ્ધ બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી મંદિરના કપાટ ઠંડીની સીઝનમાં ભારે બરફવર્ષા અને ભીષણ ઠંડીના કારણે દર વર્ષે ઓક્ટોબર, નવેમ્બર મહિનામાં બંધ કરી દેવાય છે. તાજેતરમાં આ મંદિરના કપાટ શ્રધ્ધાળુઓ માટે ખોલાયાની જાહેરાત થઇ ચુકી છે. જો તમે પણ ચારધામની યાત્રા કરવા ઇચ્છો છો તો IRCTC તમારા માટે એક સારું ટુર પેકેજ લઇને આવ્યુ છે. આ ટુર પેકેજ હેઠળ તમે માત્ર 54 હજાર રુપિયામાં ફ્લાઇટમાં ચારધામની યાત્રા કરી શકો છો.
ચારધામની યાત્રા કરવા ઇચ્છતા શ્રધ્ધાળુઓ માટે આઇઆરસીટીસીનું શ્રેષ્ઠ પેકેજ
માત્ર 54,000 રુપિયામાં ચારધામની ફ્લાઇટ દ્વારા યાત્રા
IRCTCની ઓફિશિયલ વેબસાઇટ પર અપાયેલી જાણકારી મુજબ ટુરનું નામ ‘ચારધામ યાત્રા એક્સ મુંબઇ’ છે. આ ટુર 12 રાત્રિ અને 13 દિવસની હશે. આ ટુર પેકેજમાં યાત્રિઓને ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી પ્લેનમાં જવાની વ્યવસ્થા કરાઇ છે. આ ટુરની શરુઆત 16 મે 2020 અને 30 મે 2020ના રોજ મુંબઇથી થશે. અહીંથી યાત્રીઓ પ્લેનમાં સવાર થશે.
આ ટુર પેકેજમાં યાત્રીઓને યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદરીનાથની સાથે હરદ્વાર અને ઋષિકેષની યાત્રા પણ કરાવાશે. ટુર પેકેજમાં યાત્રીઓ માટે બંને બાજુનુ ભાડુ, રોકાવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, એસી બસમાં સાઇટસીઇંગની વ્યવસ્થા પણ કરાશે. યાત્રીઓને ઇકોનોમી ક્લાસમાં સફર કરવાની સુવિધા અપાશે.
ટેરિફ પેકેજની વાત કરીએ તો સિંગલ ઓક્યુપેંસી માટે યાત્રીઓને પ્રતિ વ્યક્તિ 87,690 રુપિયા ખર્ચવા પડશે. ડબલ ઓક્યપેંસી માટે તમારે પ્રતિ વ્યક્તિ 56,190 રુપિયા અને ટ્રિપલ ઓક્યુપેંસી માટે પ્રતિ વ્યક્તિ 53,990 રુપિયા ભાડા તરીકે ખર્ચવા પડશે. જો તમારી સાથે 5થી 11 વર્ષની ઉંમરનું બાળક હશે તો તેના માટે અલગથી બેડ લેવા પર તમને 48,790 રુપિયાનો ખર્ચ કરવો પડશે. જ્યારે અલગ બેડ નહીં લેવો હોય તો તમારે 39, 890 રુપિયા ખર્ચવા પડશે.