વેક્સિનની અછતને લઈને કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા
દિલ્હીમાં શરૂ થઈ ડ્રાઈવ થ્રુ વેક્સિન
અરવિંદ કેજરી વાલે વેક્સિનની અછતને લઈને કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
કાલે યુદ્ધ થઈ જાય તો શું રાજ્યએ પોતાની અલગ ટેન્કરો લેવાની?
કોરોના સંક્રમણ દેશ અને દુનિયા માટે એક મોટી આફત બની છે. જોકે દેશમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ મૃત્યુઆંકમાં કોઈ ખાસ ફેર દેખાઈ નથી રહ્યો. આવામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર વેક્સિનેશન પર ભાર મુકવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી પોતાના દરેક ભાષણ કે સંબોધનમાં વેક્સિનેશનની વાતનો ઉલ્લેખ જરૂરથી કરે છે. સાથે જ લોકોને વેક્સિન લીધા બાદ તેટલી જ સાવધાની રાખવા માટે પણ અપીલ કરે છે. તેના માટે પીએમ મોદી પોતાના દરેક ભાષણમાં એ વાતનો ઉલ્લેખ કરે છે કે, "દવાઈ ભી ઓર કાડાઈ ભી". વેક્સિન લીધા બાદ તેટલી જ સાવધાની રાખવાની જરૂર હોય છે.
દિલ્હીમાં પણ શરૂ થઈ ડ્રાઈવ થ્રુ વેક્સિન
વેક્સિનેશન માટે દરેક રાજ્ય પોત પોતાની રીતે બને તેટલા લોકો વેક્સિન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. ગુજરાતમાં તો ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત પણ કરવામાં આવી છે. જેમાં તમારે પોતાની ગાડી કે વેહિકલમાં જઈને નંબર આવે ત્યારે વેક્સિન લેવાની હોય છે. આવી જ રીતે વેક્સિનેશનનો કાર્યક્રમ દિલ્હીમાં પણ કરવામાં આવ્યો છે. જ્યાં દિલ્હી વાસી હવે પોતાની ગાડી કે વેહિકલમાં બેઠા બેઠા વેક્સીન લેશે.
વેક્સિનની અછતના કારણે કેન્દ્ર સરકાર પર હુમલો
વેક્સિનેશનના આ કાર્યક્રમને દિલ્હીના CM કેજરીવાલે બુધવારે લોન્ચ કર્યો. આ વચ્ચે એક પ્રેસકોન્ફરન્સ સંબોધતા કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જો માર્ચમાં જ વેક્સિન લગાવવામાં આવી ગઈ હોત તો કોરોનાની બીજી લહેર ન આવત. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનું કામ અમે કઈ રીતે કરી શકીએ? કેન્દ્રએ વેક્સિનેશનની વાત રાજ્યો પર ઢોળી દીધી અને તેમને કહી દીધું કે પોત પોતાની વ્યવસ્થા કરી લો, વેક્સિનેશનને લઈને હું ઘણા રાજ્યના CMના સંપર્કમાં જેમની પાસે હજુ સુધી વેક્સિનનો એક પણ ડોઝ પહોંચ્યો નથી. વેક્સિન કંપનીઓએ કેન્દ્ર સરકારનો હવાલો આપતા કહી દીધુ છે કે તેમની સાથે વાત કરી લો.
પાકિસ્તાન જો કાલે યુદ્ધ કરી લે તો કેન્દ્ર એમ જ કહેશે ને કે પોત પોતાનું જોઈ લો?
CM કેજરીવાલે કેન્દ્ર પર હુમલો બોલતા કહ્યું કે આ જ રીતે યુદ્ધના સમયે પણ કહેવામાં આવશે કે પોત પોતાનું જોઈ લો? કાલે જો પાકિસ્તાન ભારત પર હુમલો કરી લે તો કેન્દ્ર સરકાર તો એમ જ કહેશેને કે બધા રાજ્યો પોત પોતાનું જોઈ લો. ઉત્તર પ્રદેશન પોતાની ટેન્ક ખરીદી લો અને દિલ્હીવાળો પોતાના હથિયારો ખરીદી લો.
ભાજપે કર્યો વળતો પ્રહાર
CM કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર કર્યા બાદ બાજપની તરફથી વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. અમિત માલવિયાએ કહ્યું કે, આ વાત માટે કેજરીવાલ પોતે જવાબદાર છે. તેમને વેક્સિન ખરીદવાની આઝાદી જોઈતી હતી જેના માટે તેમને એક તક પણ આપવામાં આવી પરંતુ તેમણે કંઈ ન કર્યું. 26 એપ્રિલે 1.3 કરોડ વેક્સિન દિલ્હી સરકારે ક્યાં મંગાવી છે? તમે કંઈ ન કરવામાં જ સારો છો. લોકો મરી રહ્યા છે અને તમે બેડ ઓક્સિજનની વ્યવસ્થા પણ નથી કરી શકતા.