ઇરાને શનિવારે અમેરિકાને ચેતાવણી આપી હતી કે, ઇસ્લામીક અર્થતંત્ર વિરુદ્ધ કોઇપણ ક્ષેત્રમાં કાર્યવાહી કરશે તો અમેરિકાએ મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે, આ સાથે જ અમેરિકાઓ આ ઘટનાનું ગંભીર પરિણામ પણ ભોગવવું પડશે.
સશસ્ત્ર દળના જનરલની અમેરિકાને ચેતવણી
દક્ષિણ-પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર દળના જનરલ સ્ટાફના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અબુલફઝલ શેકરચીએ એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા અમેરિકાને આડકતરી રીતે ચેતવણી આપી હતી.
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, ઇરાન તરફ એકપણ ગોળી ચાલી તો અમેરિકા તથા તેના તેમના સહયોગીઓના હિતમાં આગ લાગી જશે. આપને જણાવી દઇએ કે, અમેરિકા તથા ઇરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયગાળાથી ભારે તણાવ ચાલી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે ધમકી
અમેરિકી રાષ્ટ્રપ્રમુખે તાજેતરમાં ટ્વિટર પર લખ્યું કે, 'ઇરાને ખુબ જ મોટી ભૂલ કરી નાંખી છે.' અમેરિકી રક્ષા મંત્રાલયના મુખ્યમથખ પેન્ટાગોને આ વાતની પુષ્ટી કરી છે કે ઇરાની સૈન્ય દળે અમેરિકી નેવીનું એક જાસુસી ડ્રોન તોડી પાડ્યું છે. સાથે એમ પણ કહ્યું કે એ આંતરરાષ્ટ્રીય હવાઇ ક્ષેત્રમાં હતું, ન ઇરાનના હવાઇ ક્ષેત્રમાં.
તણાવની અસર ભારત પર
અમેરિકા તથા ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે હોર્મોઝ જલડમરુમધ્યથી થઇને પસાર થતાં પોતાના તેલ ટેન્કરોની સુરક્ષા વધારવાનો નિર્ણય કરેલ છે. ઓમાનની ખાડીમાં 2 યુદ્ધ જહાજો ખડકાયા બાદ ભારતીય નૌસેના હવે આ વિસ્તારમાંથી આવનારા તેલ ટેન્કર પર કેટલાક અધિકારીઓ તથા નાવિકો મોકલવાની યોજના બનાવી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે, ઇરાન દ્વારા અમેરિકન ડ્રોન તોડી પડાયા બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે માહોલ ગરમાયેલો છે. તો અમરિકા તથા ઇરાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર હવાઇ યાત્રાઓ પર પણ પડી રહી છે. આ તણાવની અસર ભારત સુધી પહોંચી છે. તમામ ભારતીય એરલાયન્સે DGCA (Directorate General of Civil Aviation) સાથે ચર્ચા કર્યા બાદ ઇરાનના એરસ્પેસમાં ન જવાનો નિર્ણય લીધો છે.